ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

રાજ્યપાલનાં હસ્તે મહેસાણામાં કરાયું વાંચનાલયનું ઉદ્ઘાટન

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે મહેસાણામાં સ્વ. મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્ઘાટન
  • ધર્મપરાયણ – સંસ્કારી ભાવી પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓ અનિવાર્ય 
  • વાંચનાલયો  વિકસિત રાષ્ટ્રથી દીક્ષિત રાષ્ટ્રના નિર્માણનું માધ્યમ બનશે

મહેસાણા, 08 નવેમ્બર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કર્યું હતું.જેથી શિક્ષિત અને સંસ્કારી સમાજ દ્વારા સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન પણ કર્યું હતું.

વાંચનાલય-humdekhengenews

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા કેળવણીને અતિ આવશ્યક ગણાવી રાજ્યપાલએ કહ્યું હતું કે, એક શિક્ષિત દીકરી લગ્ન પહેલાં પિતાનું અને લગ્ન બાદ પતિના કુળનું એમ બે કુળનું ગૌરવ વધારે છે. તેમણે દીકરા-દીકરીના ભેદભાવથી દૂર રહીને સ્ત્રીભ્રુણ હત્યા, દહેજ પ્રથા જેવા દુષણોથી સમાજને મુક્ત કરવો. સાથે જ પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વૉર્મિગ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા વૃક્ષારોપણ અને જળસંચય કરવા,પર્યાવરણના પ્રદુષણને કારણે રોગોનું પ્રમાણ વધતું જાય છે.

વાંચનાલય-humdekhengenews

રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાં ઉપયોગને બદલે પ્રાકૃતિક કૃષિને અપનાવવી જોઈએ.ગુજરાત પ્રાકૃતિક કૃષિ માટે પથદર્શક બનાવવા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે પ્રથમ યુનિવર્સિટી હાલોલ ખાતે કાર્યરત થઈ છે. આ યુનિવર્સિટીથી નવીન સંશોધનો થકી પ્રાકૃતિક ખેતી માટે દરેકને પ્રેરણા મળે એવું કામ રાજ્યમાં થવાનું છે. પ્રાકૃતિક કૃષિથી પાક ઉત્પાદન ક્યારેય ઘટતું નથી, જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મિગમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે.જે માટે કુરૂક્ષેત્રની 200 એકર જમીનમાં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિ અને તેના ઉત્પાદનનું ઉદાહરણ પણ આપ્યું હતું.

વાંચનાલય-humdekhengenews

જ્ઞાનની પરબ થકી નાગરિકોનું જીવન બદલાય છે, આ પ્રકારના વાંચનાલયથી જ્ઞાનના દરવાજા ખુલશે અને જ્ઞાનના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણનું કામ થશે. વાંચનાલયો સારા નાગરિક બનાવવાનું કાર્ય કરે છે, આજના સમાજ દ્વારા આ કાર્ય વિકસિત રાષ્ટ્રથી દીક્ષિત રાષ્ટ્રના નિર્માણનું માધ્યમ બનશે.- શંકર ચૌધરી

સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિનું કાર્ય કરતી ચૌધરી સમાજની સંસ્થા આંજણા યુવક મંડળના દાન, પુણ્ય અને ધર્મકાર્ય માટે ખર્ચાતા ધનની ગતિને સર્વોત્તમ ગણાવી પુસ્તકાલય જેવી શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે રાજ્યપાલે મંડળના સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા.સાથે જ વાંચનાલયના મુખ્ય દાતા હર્ષદ ચૌધરી અને રામીબેન ચૌધરીના પરિવારજનોની સાથે અન્ય દાતાઓ વિજય ચૌધરી, મનું ચૌધરી, દશરથ ચૌધરી, શંકર ચૌધરી સહિત ચૌધરી સમાજના તમામ દાતાઓનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

વાંચનાલય-humdekhengenews

કાર્યક્રમમાં ધારાસભ્ય સરદાર ચૌધરી, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન કનું પટેલ, ખેતી બેન્કના પૂર્વ ચેરમેન ધીરેન ચૌધરી, દૂધ સાગર ડેરીના ડીરેક્ટર કનું ચૌધરી, સાબરકાંઠા ચૌધરી સમાજના પ્રમુખ જશુ ચૌઘરી, ખેતીબેન્કના વાઇસ ચેરમેન ફલજી ચૌધરી, દાતા હર્ષદ ચૌધરી, સહિત આંજણા યુવક મંડળના સભ્યો, આંજણા સમાજના અગ્રણીઓતેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે

Back to top button