ઉત્તર ગુજરાતગુજરાત

પશુ પાલકો માટે ખુશીના સમાચાર : દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.30 નો કર્યો વધારો

Text To Speech

પાલનપુર: બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો પશુપાલક હિતલક્ષી નિર્ણય 

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે.

હવે 760 ના બદલે 790 ચુકવાશે

હાલમાં ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે ફરીથી રૂપિયા 30 ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ આગામી 16 ડિસેમ્બરથી મળતો થશે. પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂ.760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.30 નો વધારો થતાં પશુપાલકોને રૂ.790 ચૂકવવામાં આવશે.

બનાસકાંઠા-humdekhengenews

ચાલુ વર્ષમાં સતત ચોથી વાર દૂધનાં ખરીદ ભાવમાં કરાયો વધારો

જ્યારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નડાબેટ ખાતે દૂધ દિનના કાર્યક્રમમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત શંકરભાઈ ચૌધરીએ કરી હતી. આમ ઐતિહાસિક ભાવ વધારો, ભાવફેર અને ચાલુ વર્ષમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સતત ચાર વખત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા ફળ આપવાના અનેક સફળ પ્રયાસ કર્યા છે.

પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ” પહેલાના સમયમાં શિયાળાની અંદર જેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દૂધના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈપણ ઋતુ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે.”

આ પણ વાંચો :પાલનપુર : જીગ્નેશ મેવાણીના વર્તન સામે વણકર સમાજ ખફા

Back to top button