ગુજરાતદક્ષિણ ગુજરાત

ડાયમંડ સિટીમાં સોનાની ઘારી !

Text To Speech

ગુજરાતીઓ ખાવાના ખુબ શોખીન હોય છે. તેમાં પણ સુરતીઓ તો હંમેશા કંઈક નવું કરવામાં માને છે. ત્યારે આ વર્ષે કોરોનાકાળ બાદ સુરતીઓએ ચંડીપડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ચંદી પડવા પર સુરતની પ્રખ્યાત ઘારીને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી રહી છે.

ચંદી પડવા પર સુરતીઓની ગોલ્ડન ઘારી

સુરતની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આ વખતે ચંદીપડવા ને સોનેરી બનાવામાં આવી રહ્યો છે. કારણકે સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા 24 કેરેટ સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયારકરી રહ્યા છે. સુરતીઓએ ખાણી પીણીમાં માટે ખુબ પ્રખ્યાત છે અને આ બાબતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. ત્યારે સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. ચંડી પડવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક ઇન્કવાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હાલ 10 કિલોગ્રામ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે.સુરતની ગોલ્ડન ઘારી - humdekhengenewsસુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. ત્યારે આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: શરદપૂનમ પર ક્યારેય તમે ટેસ્ટ કર્યા છે ફ્લેવર્ડ પૌવાં ?

એક મીઠાઈવાલાના જણાવ્યા અનુસાર, પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે અને 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે અને હાલ 9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.

Back to top button