ગુજરાતમધ્ય ગુજરાત

નિકોલમાં યુવતીની લટકતી લાશ મળી, આત્મહત્યા કે પછી બીજું કોઈ કારણ?

Text To Speech
  • અમદાવાદના નિકોલ વિસ્તારમાં યુવતીનો મૃતદેહ લટકતી હાલતમા મળ્યો
  • બારીની ગ્રીલમાં ફંદો લગાવીને યુવતીએ કર્યો આપઘાત
  • હાલ આત્મહત્યાનું કારણ અકબંધ

છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં કોઈને કોઈ કારણોસર વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી ન કરવાનું કરી દેતા હોય છે. ત્યારે આવી જ વધુ એક આત્મહત્યાની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં અમદાવાદની કન્સ્ટ્રકશન સાઈટ પર યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવી લીધો હોવાનું સામે આવ્યું છે. બારીની ગ્રીલમાં ફંદો લગાવીને યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

નિકોલ વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત

પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ભગવત એલિજિયમ સાઇટ પર ગઈકાલે એટલે કે,મંગળવારના રોજ એક યુવતી લટકતી જોવા મળી હતી. જેને જોઇને આસપાસના લોકો ચીસો પાડવા લાગ્યા હતા. યુવતી બારીની બહારની તરફ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. જેને જોઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ યુવતીના પરિજનોને જાણ કરવામા આવતા પરિવારે આ સંદર્ભ પોલીસની જાણ કરીને તપાસ કરવા માટે જણાવ્યું હતું. જે બાદ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથધરી હતી.

નિકોલ આત્મહત્યા-humdekhengenews

 

યુવતીના મોતનું કારણ જાણવા અલગ અલગ થિયરી પર તપાસ

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભગવત એલિજિયમની કન્સ્ટ્રક્શન સાઈટ પર 18 વર્ષની કાજલ(નામ બદલ્યું) મજૂરીકામ કરતી હતી. તેના પરિવારના અન્ય સભ્યો પણ અલગ અલગ જગ્યાએ મજૂરીકામ કરતા હતા. સવારે છ વાગ્યાના અરસામાં કોઈએ કાજલ(નામ બદલ્યું)નો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઇ હતી, એથી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારે આ સંદર્ભે પોલીસને જાણ કરીને તપાસ કરવા માટે જણાવ્યું હતું. જેથી આ અંગે નિકોલ પોલીસે ગંભીરતાથી ખરેખર આ આત્મહત્યા છે કે, અન્ય કોઈ કારણ એ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ કાજલના મૃતદહેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરતા પોસ્ટમોર્ટમ બાદ જ યુવતીના મોતનું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેડિંગ શરુ, રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Back to top button