ટ્રેન્ડિંગનેશનલ

ગર્લફ્રેન્ડે દગો આપ્યો, તો લેબ ટેકનિશિયને આવી રીતે આપઘાત કર્યો

  • પ્રેમમાં દગો મળતા કાનપુરના યુવકે કરી આત્મહત્યા
  • મરતા મરતા યુવક કહેતો ગયો કે તેની ગર્લફ્રેન્ડે તેના પાંચ વર્ષ બરબાદ કરી નાખ્યા
  • સુસાઈડ નોટમાં યુવક લખતો ગયો કે તેનો મૃતદેહ તેના ભાઈ સિવાય કોઈને ન બતાવતા

કાનપુર, 10 મે: યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમમાં દગો મળ્યા બાદ એક વ્યક્તિએ હોટલના રૂમમાં 40 એનેસ્થેટિક ઈન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બની હતી.

ઓપરેશન થિયેટર ટેકનિશિયને ગ્લુકોઝમાં એનેસ્થેટિક દવાનો ઓવરડોઝ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હોટલનો રૂમ ન ખૂલતાં મેનેજરે પોલીસને જાણ કરતાં લોકોને આ અંગે જાણ થઈ હતી. દરવાજો તોડી તપાસ કરતાં યુવકનો મૃતદેહ ખાટલા પર પડેલો મળ્યો હતો. પડદાના સળિયા પર ગ્લુકોઝની બોટલ લટકતી હતી અને યુવકના જમણા હાથે ડ્રિપ લગાયેલું હતું.

ઘટના સ્થળેથી મળી આવી સુસાઈડ નોટ

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લખ્યું હતું કે તેને તેની ગર્લફ્રેન્ડએ પ્રેમમાં દગો આપ્યો છે. મૃતકનું નામ વિજય સિંહ હોવાનું કહેવાય છે જે નૌબસ્તાની એક ખાનગી હોસ્પિટલમાં ઓટી ટેક્નિશિયન હતા.

પાંચ વર્ષથી ચાલતું હતું અફેર

પોલીસે જણાવ્યું કે વિજય સિંહને એક યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો, યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ પણ હતી. થોડા દિવસો પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન વિજયે તેના પર હાથ ઉપાડ્યો હતો. આ પછી યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી અને તેના પરિવારને પણ ઘટનાની જાણ કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે વિજય સિંહ સેન પશ્ચિમપરામાં એક રૂમમાં યુવતી સાથે રહેતો હતો. બંને સાથે રહેતા હતા કે લવ મેરેજ કર્યા હતા તેની પુષ્ટિ થઈ નથી.

વિજય પહેલેથી જ પરિણીત હતોઃ છોકરી

દરમિયાન યુવતીએ આરોપ લગાવ્યો છે કે વિજય પહેલાથી પરિણીત હતો અને તેની પહેલી પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. આ હકીકત છુપાવીને તેણે તેની સાથે લવ મેરેજ કર્યા હતા. તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા ન હોવાથી તેમના લગ્ન માન્ય ન હતા, તેથી તે વિજય સાથે રહેવા માંગતી ન હતી.

વિજયે સુસાઈડ નોટમાં શું લખ્યું?

પોલીસે બંને વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું પરંતુ ત્યારબાદ વિજયે બુધવારે કોયલા નગર સ્થિત એક હોટલમાં રુમ રાખીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં વિજયે મરતા પહેલા લખ્યું હતું કે, “હું વિજયસિંહ યાદવ, મારી સાથે સારુ નથી થયું, તેં મારી સાથે સારુ નથી કર્યું. મારા પાંચ વર્ષની સાથે તે બાકી રહેલી મારી કારકિર્દી પણ આજે બરબાદ કરી નાખી, બધા લોકો મને માફ કરજો, હું મારી જીવનથી હારી ચૂક્યો છું, મારો મૃતદેહ આશિષ ભાઈ સિવાય કોઈને ના જોવા દેતા. હવે પોલીસે આ ઘટના પછી યુવતીને પુછપરછ માટે બોલાવી છે.

પોલીસે શું કહ્યું?

ઘટના અંગે ડીસીપી પૂર્વ એસકે સિંહે જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફોન કરતાં તેના પિતા આવ્યા ન હતા, તેઓ કદાચ ગુસ્સે હતા, હકીકતની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવાનું ભારે પડ્યું? જાણો રમૂજ અને આઘાતની ઘટના વિશે

Back to top button