ટોપ ન્યૂઝનેશનલ

ગેટ વે ઓફ ઇન્ડિયા પર્યટકો માટે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય?

Text To Speech

મુંબઈનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગેટ વે ઓફ ઇન્ડિયાને કેટલાક દિવસો સુધી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રાયગઢના દરિયા કાંઠે શસ્ત્રો મળવા સહિતની કેટલીક ઘટનાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી ન આવે ત્યાં સુધી અહીં પ્રવાસીઓનો પ્રવેશ બંધ રહેશે.

રાયગઢમાં શસ્ત્રો મળવા સહિતની ઘટનાઓને પગલે નિર્ણય

રાયગઢના હરિહરેશ્વર દરિયાકાંઠે 18 ઓગસ્ટના બોટમાં ત્રણ એકે-56 રાઇફલ ૨૨૫ કારતૂસ, 10 બોક્સ અમુક દસ્તાવેજો મળ્યા હતા. જેને લીધે દોડધામ મચી ગઈ હતી. રાજ્યભરમાં હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ પછી હવે મુંબઈના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંના એક ગેટવે ઓફ ઈન્ડિયાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફાઇવ સ્ટાર હોટેલમાં બોમ્બ હોવાની ધમકી

આ ઘટના બાદ મુંબઈના ટ્રાફિક પોલીસને 26/11 જેવા આતંકી હુમલાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ પાકિસ્તાનના કોડવાળા નંબરથી આવ્યો હતો. ત્યાં મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં બોમ્બ હોવાની ધમકી ફોન પર મળી હતી.

Back to top button