અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાંધીનગરઃ અનામત દૂર કરવાના રાહુલ ગાંઘીના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યું

  • કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ બંધારણના મૂળભૂત અનામતના સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઇચ્છા શક્તિ દર્શાવી નથીઃ ડો.પ્રેમચંદ બૈરવા
અમદાવાદ, 20 સપ્ટેમ્બર, વિદેશની ધરતી પર કોંગ્રેસના નેતા તેમજ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ SC-ST અને OBC અનામત પર આપેલા નિવેદન મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો. પ્રેમચંદ બૈરવાજી તેમજ પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડીયાએ પ્રેસ મીડિયાને સંબોધી. ડો.પ્રેમચંદ બૈરવાએ કહ્યું કે, રાજીવ ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટ પર વિરોધ કર્યો હતો તેમજ 1990માં લોકસભામાં આનામતનો વિરોધ કર્યો અને મુસલમાનોને અનામત આપવાની વકીલાત કરી જે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મૂળ બંધારણનો વિરોઘ હતો . કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ સંવિઘાનને મૂળભુત આરક્ષણ, સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઇચ્છા શક્તિ દર્શાવી નથી.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, કોંગ્રેસના સાંસદ તેમજ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંઘીની બંધારણ વિરોઘી માનસીકતા તેમજ વિદેશમા જઇ ભારતની શાખને નુકશાન પહોંચાડવાનુ કામ ફરી કર્યુ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે , “જ્યારે ભારત ભેદભાવયુક્ત દેશ બનશે, ત્યારે જ કોંગ્રેસ અનામત ખતમ કરવા માટે વિચારશે. જ્યારે તમે નાણાકીય આંકડા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ (OBC)ને પણ લગભગ એટલી જ રકમ મળે છે. સત્ય એ છે કે તેમને યોગ્ય ભાગીદારી મળતી જ નથી”.આ પ્રેસ કોન્ફરન્સમા સાંસદ દિનેશભાઇ મકવાણા, પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે તેમજ દેવેન્દ્રભાઇ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંઘીના નિવેદનથી બંધારણ વિરોધી માનસકીતા ફરી જનતા સમક્ષ ઉજાગર થઇ છે. આ મુદ્દે આજે, 20 સપ્ટેમ્બરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવા તેમજ પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડીયાએ મીડિયાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંઘીના અનામત દૂર કરવાના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યું હતું. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતા અને વિપક્ષના નેતાએ અમેરિકાના પ્રવાસમા દરમિયાન ભારતમા આરક્ષણ દુર કરવા જણાવ્યું હતું, કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષથી દેશમાં શાસન કર્યું તે દરમિયાન રાજકીય હેતુસર સંવિઘાનની પ્રક્રિયાનો દુરઉપયોગ કર્યો અને સામાજીક ઉદેશોની ઉપેક્ષા કરી. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ સંવિઘાનને મૂળભૂત આરક્ષણ, સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઇચ્છા શક્તિ દર્શાવી નથી. કોંગ્રેસ પાર્ટી જવાહરલાલ નહેરુના વર્ષ1956ના સમયે પછાત વર્ગને આરક્ષણ આપવાની કાકાસાહેબ કાલેલકર રિપોર્ટને ફગાવ્યો હતો.
પ્રેમચંદ બૈરવાજીએ શું કહ્યું ? 
પ્રેમચંદ બૈરવાજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જમ્મુ કાશ્મિરમા કલમ 370 અને 35-એને દુર કરી જમ્મુ કાશ્મિરના અનુસુચિત વર્ગના લોકોને વર્ષો પછી  સામાજીક ન્યાય અને સન્માન આપવાનું કાર્ય કર્યુ છે. ઇન્દીરા ગાંધીએ 1975મા દેશમા ઇમરજન્સી લગાવી સંવિઘાનને ઠેસ પહોંચાડી હતી એટલું જ નહીં ઇન્દીરાગાંધીએ મંડળ આયોગના રિપોર્ટને ફગાવી ઓબીસી આરક્ષણા આપવામા વિલંબ કરાવ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2014 પછીના કાર્યકાળમાં સંવિઘાનમાં 8 વખત સંશોધન થયું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારમાં કરવામાં આવેલા સંશોધનના મહત્વના મુદ્દાની પણ માહિતી આપી. રાજીવ ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટ પર વિરોધ કર્યો અને 1990માં લોકસભામાં અનામતનો વિરોધ કર્યો અને મુસલમાનોને અનામત આપવાની વકીલાત કરી જે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મૂળ સંવિધાન વિરોઘ હતી.
પ્રેમચંદ બૈરવાજીએ વધુમાં જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યાર પછી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં શાસન કર્યું તેમ છતાં દેશમાં સંવિઘાન દિવસ ઉજવવામાં નહોતો આવતો પરંતુ નરેન્દ્રભાઇ મોદી  વડાપ્રધાન બન્યા પછી દેશમા સંવિઘાન દિવસ ઉજવવાની પ્રેરણા દેશવાસીઓને આપી. 2010માં સંવિઘાનના જ્યારે 60 વર્ષ પૂર્ણ થયા ત્યારે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમા સંવિઘાન ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવ્યો. કોંગ્રેસ સરકારે તેમના સાશનકાળમાં કલમ 356નો દૂરઉપયોગ કરી સંવિઘાનને હાંસિયામાં ધકેલવાનું કામ કર્યું. કોંગ્રેસે આધ્રપ્રદેશમા ઓબીસી ક્વોટામાંથી 4 ટકા કેરલના 8 અને તમિલનાડુમાંથી 3.5 ટકા અનામત મુસ્લીમ સમાજને આપી સંવિધાનનું ઉલ્લંઘન કર્યુ. કોંગ્રેસે ક્યારેય ડો.બાબા સાહેબ આંબેડકરજીને ભારત રત્ન આપવાની ઇચ્છા વ્યકત કરી નથી પરંતુ પૂર્વ વડાપ્રધાન અટલજી તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકુષ્ણ અડવાણીજીના પ્રયાસથી બાબા સાહેબ આંબેડકરજીને 1990માં ભારત રત્નથી સ્નમાનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભીમ એપનો પ્રારંભ કરાવ્યો. દેશ આઝાદ થયા પછી કોંગ્રેસ પાર્ટીએ દેશમાં વર્ષો સુધી શાસન ભોગવ્યું છતાં જનતાને વીજળી, પાણી, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિઘા આપી શકી ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતના સંવિઘાનને રાષ્ટ્રીય ગ્રંથ માને છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના છેવાડાના માનવીને સમાજના મુખ્યઘારામા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Back to top button