ગુજરાતટોપ ન્યૂઝ

ભિલાડના મોહનગામ ફાટક પાસે ગમખ્વાર અસ્માત; ટ્રકે રિક્ષાને અડફેટે લેતા 2ના મોત; 4 ઇજાગ્રસ્ત

Text To Speech

વલસાડઃ ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર આવેલા મોહનગામ ફાટક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. યાત્રીઓને લેવા ઉભેલી રિક્ષાને મુંબઈથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લીધી હતી. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર આવેલા મોહનગામ રેલવે ફાટક પાસે એક રીક્ષા ન. GJ-15-AT-2912નો ચાલક રીક્ષા પાર્ક કરી નજીકમાં આવેલી મારબલની દુકાનમાં કામ કરવા ગયો હતો. ત્યારે રિક્ષાની આગળ 6 જેટલા શ્રમિકો રસ્તો ક્રોસ કરવા ઉભા હતા. જે દરમ્યાન મુંબઈ તરફથી આવતી એક ટ્રક ન. GJ-05-BZ-3600ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ટ્રકને હંકારી લાવીને હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર ઉભેલી રિક્ષાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અને રિક્ષાની આગળ ઉભેલા 6 શ્રમિકોને અડફેટે લીધા હતા.

અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષાનો ચપટાઈ ગઈ હતી. અકસ્માતમાં 1નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 અને IRBની એમ્બ્યુલન્સની મદદ મેળવીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

2 શ્રમિકોને વલસાડ વાપીની જીવનદીપ હોસ્પિટલ અને 2 યાત્રીઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર થયેલા ટ્રાફિકજામને સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો

રીક્ષા ચાલકે પુરપાટ ઝડપે દોડતી આવતી ટ્રકને જોઈને રીક્ષા આગળ ઉભેલા શ્રમિકોને ખસી જાવા બુમાબુમ કરી હતી પાર ત્યાં સુધીમાં ટ્રકના ચાલકે શ્રમિકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનામાં ટ્રક ચાલકને ભિલાડ પોલોસે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button