ગુજરાત

આબુરોડ પર ગમખ્વાર અકસ્માત, તુફાન-ટ્રેલર અથડાતા 4 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Text To Speech

આબુરોડ પર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તુફાન અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આબુ રોડ પર ભયંકર અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટના આબુ રોડ પરના ચંદ્રવતી પાસે બની હતી. જેમાં એક ટ્રેલરે મુસાફરોથી ભરેલા તુફાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે દસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. અકસ્માતગ્રસ્ત તુફાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન ચંદ્રાવતી પાસે ટ્રેલરે તુફાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તુફાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ ઘાયલો લાંબા સમય સુધી પીકઅપમાં ફસાઈ ગયા હતા, જેમને પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

 આ  પણ વાંચો : આવો દિકરો ભગવાન કોઈને ન આપે ! નરાધમ પુત્રએ સગી જનેતા પર ગુજાર્યું દુષ્કર્મ

Back to top button