ભાવનગરના મેવાસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 7 લોકોના મોત,અનેક ઘાયલ


- ભાવનગરના મેવાસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત
- ટ્રક પલટી મારતા 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાયા
- ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા, અનેક ઘાયલ
આજે રામનવમીના દિવસે ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી જતા કેટલાક શ્રમિકો દડાયા છે. જેમાંથી 7 લોકોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગરના મેવાસા ગામ પાસે અકસ્માત
પ્રાપ્ત જાણકારી મુજબ વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો એક ટ્ર્ક જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક અચાનક પલટી મારી ગયો હતો.આ ઘટનામાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાયા હતા.જેમાંથી 7 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યો છે.
ટાયર ફાટતા ટ્રક પલટી
ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસમાતમાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને 108ની ટીમ સ્થળ પહોંચી
મેવાસા ગામ પાસે સર્જાયોલા આ ભટનાક અકસ્માતને પગલે અહી લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. અને આ ઘટના અંગે પોલીસ અને 108ને કોલ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અને આ ઘટનામાં હજુ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કાળઝાળ ગરમી અને તાપથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા