ટોપ ન્યૂઝનેશનલ

‘વાણીની સ્વતંત્રતા નફરતમાં ન બદલવી જોઈએ’, વિવાદ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મની કરી પ્રશંસા

Text To Speech

DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ સનાતન ધર્મને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે સનાતન ધર્મ એ શાશ્વત ફરજોનો સમૂહ છે, જેમાં દેશ પ્રત્યેની ફરજ, રાજાની ફરજ, પ્રજા પ્રત્યે રાજાની ફરજ, માતા-પિતા અને ગુરુઓ પ્રત્યેની ફરજ, ગરીબોની સંભાળ અને અન્ય ઘણી ફરજોનો સમાવેશ થાય છે.

અસ્પૃશ્યતા સહન કરવામાં આવશે નહીં

જસ્ટિસ એન શેષસાઈએ 15 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં કહ્યું હતું કે, કોર્ટ સનાતન ધર્મના સમર્થનમાં અને વિરુદ્ધ ચાલી રહેલી ચર્ચાથી પણ વાકેફ છે અને તેના વિશે ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જ્યારે ધર્મને લઈને કોઈ પણ ટિપ્પણી કરવામાં આવે ત્યારે તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે. એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે ‘એવું માનવામાં આવે છે કે સનાતન ધર્મ માત્ર જાતિવાદ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપે છે. જે દેશમાં તમામ નાગરિકોને સમાન અધિકારો છે ત્યાં અસ્પૃશ્યતા સહન કરી શકાય નહીં. બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને તે લોકોનો મૂળભૂત અધિકાર છે.

આખો પાક નીંદણના લીધે કાપવો યોગ્ય નથી

અરજદાર ઈલાન્ગોવનની દલીલોને ટાંકીને હાઈકોર્ટે કહ્યું કે સનાતન ધર્મ ક્યાંય અસ્પૃશ્યતાનો ઉલ્લેખ કરતું નથી અને ન તો તેનું સમર્થન કરે છે અને હિંદુ ધર્મમાં દરેકને સમાન ગણવામાં આવે છે, પરંતુ સમયની સાથે જ્યારે ધાર્મિક વિધિઓ આગળ વધે છે તો જો તેમાં કેટલીક ખરાબીઓ હોય તો તે દૂર થાય છે. પાકમાં ઉગતા નીંદણની જેમ. પરંતુ શા માટે આ દુષ્ટતાને દૂર કરવા માટે સમગ્ર પાકની કાપણી કરવી જોઈએ?

Back to top button