ટ્રેન્ડિંગધર્મ

ચાતુર્માસના ચાર મહિના ખાસ અપનાવજો આ નિયમો

  • ચાતુર્માસના ચાર મહિના કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો થઇ શકતા નથી. દર વર્ષે તે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કારતક મહિનાની એકાદશીએ સમાપ્ત થાય છે

દેવશયની એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે. ચાતુર્માસના ચાર મહિના કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો થઇ શકતા નથી. ચાતુર્માસને ચૌમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ શરૂ થાય છે અને કારતક મહિનાની એકાદશી તિથિએ સમાપ્ત થાય છે.

ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જવાને કારણે, ભગવાન શિવ બ્રહ્માંડના સંચાલનની જવાબદારી સંભાળે છે, તેથી ચાતુર્માસ દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્યનું ફળ ઝડપથી મળે છે. વર્ષ 2024 માં, ચાતુર્માસ 17મી જુલાઈથી શરૂ થઈ ચૂક્યા છે અને 12મી નવેમ્બરે સમાપ્ત થશે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો કર્ક, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે ચાતુર્માસ 2024 ખૂબ જ ભાગ્યશાળી રહેશે.

ચાતુર્માસ ચાર મહિનાનો હોય છે. આ ચાર મહિના સુધી લગ્નો, મુંડન કે ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત ગણવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ ચાતુર્માસમાં પૃથ્વી લોકની જવાબદારી ભગવાન શિવ પર હોય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભક્તો ઉપર તેમની કૃપા વરસે છે.

ચાતુર્માસના ચાર મહિના ખાસ અપનાવજો આ નિયમો hum dekhenge news

ચાતુર્માસના શું છે નિયમો?

જપ, તપ, સાધના અને શુભ કાર્યો માટે ચાતુર્માસનો સમય અનુકુળ રહે છે. આ દરમિયાન વ્યક્તિની શારિરીક અને માનસિક સ્થિતિ સારી રહે છે. આ સમય દરમિયાન વાતાવરણ પણ સારુ હોય છે. ચાતુર્માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી આપણે આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ચાતુર્માસ અષાઢ મહિનાની એકાદશીથી શરૂ થઇને કારતક મહિનાની એકાદશીએ ખતમ થાય છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો આવે છે. આ માસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવુ આવશ્યક છે. આ દરમિયાન જમીન પર સુવુ જોઇએ અને સુર્યોદય પહેલા ઉઠવુ જોઇએ. આ નિયમોનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

ખાણી પીણીના નિયમો ખાસ અપનાવો

ચાતુર્માસમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ. આ મહિનામાં કેટલીક વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ મહિનામાં સીઝન બદલાતી રહેતી હોવાથી શરીર અને આસપાસના તાપમાનમાં ચઢાવ ઉતારનો સામનો કરવો પડે છે. તેથી મસાલેદાર કે તામસિક ભોજનનો ત્યાગ કરવો. શ્રાવણ મહિનામાં શાક, ભાદરવામાં દહીં અને આસોમાં દુધ તેમજ કારતક મહિનામાં લસણ, ડુંગળી તેમજ દાળનો પ્રયોગ ન કરવો. બની શકે તો મીઠાનો ત્યાગ કરવો. સિંધાલુન વાપરી શકો છો. શક્ય હોય તો એકટાણુ કરો.

ચાતુર્માસના ચાર મહિના ખાસ અપનાવજો આ નિયમો hum dekhenge news

ચાતુર્માસમાં વર્ષા અને શરદ ઋતુ

ચાતુર્માસમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુ આવે છે. પહેલના સમયમાં આ સમયગાળા દરમિયાન ઉપવાસ કે એકટાણાં કરવાની પ્રથા હતી, પરંતુ હવેની ફાસ્ટ લાઈફસ્ટાઈલના લીધે કદાચ તે દરેક માટે શક્ય નથી હોતું. છતાં કેટલાક એવા નિયમો છે જેને આયુર્વેદમાં ફોલો કરવા ફરજિયાત ગણાવાયા છે.

સવારે વહેલા ઉઠી જવું અને રાતે વહેલા સુવુ. સવારના નાસ્તામાં સુંઠવાળું દૂધ પીવું. સૂર્ય નમસ્કાર કરવા, હળવી કસરત કરી શકો. 15 મિનિટ ચાલવું, બહું ભારેખમ કસરતો ન કરવી. કાચા શાકભાજી કે સલાડ ન ખાવા, પાપડ અવોઈડ કરવો. પાંદડા વાળા શાકભાજી ન ખાવા. ખાખરો, મમરા, ચણા જેવા હળવા પદાર્થોનું સેવન કરવું. ભારેખમ કસરતો ન કરવી. આથાવાળું, મેદાવાળુ, તીખું, તળેલું, આઈસક્રીમ, બિસ્કિટ, ફ્રીજની વસ્તુઓ અને બહારનો ખોરાક ન ખાવો. ભીંડા, ટામેટા, રાજમા, વાલ, ચોળા, વટાણા, અડદ, સોયાબીન અને દહીં ન ખાવા

આ પણ વાંચોઃ જન્માષ્ટમીના દિવસે બુધની રાશિમાં મંગળની એન્ટ્રી, 3 રાશિઓ થશે ધનવાન

Back to top button