ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ખેડૂતોને કમલમ ફળની ખેત પદ્ધતિ વિશે શિક્ષિત કરવામાં આવશે

Text To Speech
  • ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે
  • ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર દ્વારા પ્રવાસી અને ખેડૂતોને કમલમ ફળ(ડ્રેગન ફ્રૂટ) વિશે માહિતગાર કરાશે
  • રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવેલા કમલમ પાર્ક દ્વારા ખેડૂતોને ફાયદો થશે
  • કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવાનો વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ

એકતા નગર, ૩૦ ઓક્ટોબર: ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.

રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ પાર્કનું લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેના દ્વારા પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે.

કમલમ પાર્ક વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ ‘કમલમ’ તરીકે જાણીતું છે તે નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી જે એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર મહત્વના ભાગ તરીકે કાર્ય કરી રહ્યું છે.સાથે જ 91,000 કમલમ છોડનું વિતરણ પણ કરાશે.નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની નિકટતા એ એકતા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે.

ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.

આ પણ વાંચો : ઉત્તર ભારતનાં રાજ્યોમાં પરાળી સળગાવવાના કેસમાં ઘટાડાના આ છે કારણો

Back to top button