મધ્ય ગુજરાત

અમદાવાદ જિલ્લાના ખેડૂતો આનંદો, કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો પ્રારંભ

Text To Speech

અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આજથી અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો પ્રારંભ થયો છે, આ માર્કેટયાર્ડ 365 દિવસ કાર્યરત રહશે. આ માર્કેટયાર્ડ ભાજપ ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બીપીનભાઈ પટેલે બનાવ્યું છે.કર્ણાવતી - Humdekhengenews મીડિયા જોડે વાત કરતાં દસ્ક્રોઇન ધારાસભ્ય બાબુભાઇ જમનદાસ પટેલએ જણાવ્યું હતું કે, ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ચેરમેન બીપીનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આ માર્કેટયાર્દમ,આ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર છે જ્યારે જૂની એપીએમસીમાં નાના રસ્તા હોય શહેરની અંદર હોય તેથી ખેડૂતોને ટ્રેક્ટર, મોટી ગાડીઓ લાવવામાં તકલીફ પડતી હોય છે તો ક્યારેક સ્થાનિકોને પણ તકલીફ પડતી હોય છે. આ એપીએમસી રિંગ રોડ પર બનાવવામાં આવ્યું છે જેથી બધાને અનુકૂળ પણ રહેશે.કર્ણાવતી - Humdekhengenews વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અહિયાં ખેડૂતોને બેંક સહિત એટીએમની સુવિધા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

Back to top button