ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હાથરસ કાંડમાં ટ્વિસ્ટ લાવવા નકલી બાબાનો પ્રયાસ, શું કહ્યું જાણો

  • 15-16 લોકોએ આવીને ઝેર છાંટ્યું! 121 મૃત્યુ પર ભોલે બાબાના વકીલે નાસભાગને એક કાવતરું ગણાવ્યું

નવી દિલ્હી, 8 જુલાઇ: હાથરસ સત્સંગ દરમિયાન થયેલી નાસભાગના મામલામાં પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. આ દરમિયાન, ભોલે બાબાના વકીલ એ.પી.સિંહે દાવો કર્યો છે કે, હાથરસમાં સત્સંગ દરમિયાન લોકોએ ઝેરી પદાર્થોથી ભરેલા કેન ખોલ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. વકીલ એ.પી.સિંહના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ તેમને કહ્યું કે 2 જુલાઈના રોજ થયેલી નાસભાગ ઝેરી પદાર્થના કારણે થઈ હતી. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા એ.પી.સિંહે નાસભાગને એક કાવતરું ગણાવ્યું. સત્સંગમાં આવેલા મુગલગઢી ગામના સુધીર પ્રતાપ સિંહે જણાવ્યું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે બાબાએ ભક્તોને તેમના પગ પાસેની માટી લેવાનું કહ્યું. ભક્તો ઉતાવળમાં માટી લેવા દોડ્યા, પરંતુ તેઓ પડવા લાગ્યા અને ઠગલો થવા લાગ્યો. બાબાનો કાફલો નાસભાગની વચ્ચે છોડી ગયો.’ આ કેસમાં અત્યાર સુધીમાં દેવપ્રકાશ મધુકર સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધુકર સત્સંગના મુખ્ય આયોજક અને ભંડોળ એકત્ર કરનાર હતા, જ્યાં 80,000ની મંજૂરી મર્યાદા સામે 2.5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા.

  1. ભોલે બાબાના સત્સંગ પછી નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 121 લોકોના મૃત્યુ થયા.
  2. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગની મહિલાઓ હતી.
  3. ભોલે બાબા હજુ પણ લાપતા છે. જો કે, તેમણે આ અકસ્માત અંગે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો.
  4. રાહુલ ગાંધીએ UP CM પાસે પીડિત પરિવારો માટે વળતર વધારવાની માંગ કરી છે.
  5. સાંસદ ચંદ્રશેખર આઝાદ આજે પીડિત પરિવારોને મળશે.

બાબાના વકીલે કર્યો દાવો 

ભોલે બાબાના વકીલ એ.પી.સિંહે દાવો કર્યો કે, તેમની ‘વધતી લોકપ્રિયતા’ના કારણે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં સ્વયંભૂ બાબા સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના ‘સત્સંગ’ બાદ ભાગદોડ મચી ગઈ હતી. આ સત્સંગમાં આવેલા લોકો મોટાભાગે અલીગઢ અને હાથરસના રહેવાસી હતા.

15-16 લોકો ઝેરી પદાર્થ લાવ્યા હતા: વકીલ 

આ ઘટનાને કાવતરું ગણાવતા સિંહે કહ્યું કે, ‘પ્રત્યક્ષદર્શીઓએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે, 15-16 લોકો ત્યાં ઝેરી પદાર્થના કેન લઈને આવ્યા હતા, જે તેમણે ભીડમાં ખોલી નાખ્યા. મેં માર્યા ગયેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ જોયા છે અને તે દર્શાવે છે કે, તેઓનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું છે, ઈજાઓને કારણે નહીં. લોકોને ભાગી છૂટવા માટે ઘટના સ્થળે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. અમારી પાસે પુરાવા છે અને અમે તેને રજૂ કરીશું. આ પ્રથમ વખત હું તેના વિશે બોલી રહ્યો છું. તેમનો સંપર્ક કરનારા સાક્ષીઓએ નામ ન આપવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમે તેમના માટે સુરક્ષાની માંગ કરીશું.’

અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ 

UP પોલીસે આ અકસ્માતમાં મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર સહિત નવ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધુકર ‘સત્સંગ’ના મુખ્ય આયોજક અને ભંડોળ એકત્ર કરનાર હતા, જ્યાં 80,000ની મંજૂરી મર્યાદા સામે 2.5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. સ્થાનિક સિકન્દ્રા રાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં સ્વયંભૂ બાબાનું નામ આરોપી તરીકે નથી.

દરેક એંગલથી તપાસ કરવામાં આવશે

હાથરસ પોલીસે કહ્યું કે, તેઓ રાજકીય પક્ષ દ્વારા ‘સત્સંગ’ના શંકાસ્પદ ધિરાણની પણ તપાસ કરી રહ્યા છે. જેમાં શક્ય તેટલી સૌથી કડક કાર્યવાહી થઈ શકે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાની પણ પૂછપરછ કરવામાં આવશે, તો તપાસ પંચના સભ્યએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલ ન્યાયિક પંચ તેની તપાસ માટે જરૂરી કોઈપણ સાથે વાત કરશે. ઉત્તર પ્રદેશ ન્યાયિક પંચની ટીમે હાથરસ નાસભાગ કેસમાં ઘણા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા હતા.

ચંદ્રશેખર આઝાદ પીડિત પરિવારોને મળશે

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના સાંસદ ચંદ્રશેખર આઝાદ આજે શુક્રવારે અલીગઢ અને હાથરસ જઈને પીડિત પરિવારોને મળવા જશે. આ પહેલા તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિતના પરિવારજનોને પણ મળ્યા હતા. શનિવારે ભોલે બાબાએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં બાબાએ કહ્યું હતું કે, ‘અરાજકતા ફેલાવનારાઓને બક્ષવામાં આવશે નહીં. આરોપીઓને સજા કરવામાં આવશે.’

તે જ સમયે, કમિશનના અધ્યક્ષ અને અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે હાથરસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કમિશન ટૂંક સમયમાં એક નોટિસ જાહેર કરશે, જેમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓને નાસભાગ સાથે સંબંધિત કોઈપણ પુરાવા શેર કરવા માટે કહેવામાં આવશે.

આ પણ જુઓ: હાથરસ દુર્ઘટનામાં સુરક્ષાકર્મીઓની બેદરકારી ? જાણો શું કહે છે પ્રત્યક્ષદર્શીઓ

Back to top button