ગુજરાતટ્રેન્ડિંગહેલ્થ

રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો, જાણો કેમ આટલી જલ્દી ફેલાઈ રહી છે આ બિમારી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક: સમગ્ર રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો છે, હવે તો જ્યાં જોવો ત્યાં આંખના જ દર્દીઓ દેખાઈ રહ્યાં છે. છેલ્લા પંદર દિવસથી આંખ આવવાની બિમારી એટલે કે કન્જકટીવાઈટિસના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તમને એમ થતું હશે કે કેમ આમ અચાનક આ બિમારી આવી ચડી છે, તો ચાલો તેના વિશે જાણીએ.

  • આંખ આવવાની બિમારીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશભરમાં ઝડપથી ફેલાઈ રહી છે. કેમ કે ઘરના કોઈ એક સભ્યને આંખ આવે છે તો પછીએ ઘરના લગભગ દરેક સભ્યને વારાફરતી આ ચેપ લાગી રહ્યો છે.

આંખના વધતા જતા કેસોએ લોકોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ત્યારે આંખ આવવાનું કારણ ડૉક્ટરોના જણાવ્યા મુજબ ભેજ જ છે. તેમનું કહેવું છે કે વધારે પડતા ભેજના કારણે જ આ ચેપ અત્યારે વધારે ફેલાઈ રહ્યો છે. આ ચેપ આમતો દર વર્ષે ચોમાસાની ઋતુમાં આવતો જ હોય છે, પરંતુ આ વર્ષે હવામાં વધારે પડતા ભેજના કારણે ચેપ જલ્દી ફેલાઈ રહ્યો છે. બેક્ટરિયા અને વાયરસ આ ભેજમાં સરળતાથી ફેલાતો હોવાથી કેસો વધી રહ્યા છે.

શું સાવચેતી રાખી શકાય?

  • સ્વચ્છતા જાળવો, જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે ચશ્મા પહેરો.
  • તમારો ટુવાલ અને કપડાં કોઈની સાથે શેર કરશો નહીં.
  • ચેપગ્રસ્ત લોકોને શાળા, કોલેજ કે ઓફિસમાંથી રજા લેવા વિનંતી કરો.

આંખ આવે ત્યારે શું કરવું?

  • આંખોને દિવસમાં બે વાર ઠંડા પાણીથી ધોઈ લો.
  • આંખોના નિષ્ણાત દ્વારા કહેવામાં આવેલાં જ ટીપા નાખો.
  • મેડિકલ સ્ટોર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ ન લેશો.
  • કારણ કે મોટા ભાગની દુકાનોમાં સ્ટેરોઈડ વાળી દવાઓ આપવામાં આવી રહી છે, જેના કારણે સમસ્યા વધશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

આંખોનો ચેપ કેટલા દિવસ સુધી રહે છે?

  • આંખનો ચેપ અત્યારે ખાસ કરીને 3 થી 5 દિવસ સુધી રહે છે. જો કે, ચેપ બીજી આંખમાં પણ થાય તો સાજા થવામાં વધુ દિવસો લાગી શકે છે.
  • જ્યારે આંખનો ચેપ તમને લાગે છે ત્યારે તમારુ આખુ ઘર આ ચેપથી સંક્રમિક થઈ જતુ હોય છે, ત્યારે તમારે ખાસ ટુવાલ, ઓંશીકા, વોશ બેસિન વગેરે સ્વચ્છ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

આ પણ વાંચો: કોરોના પછી યુવાનોના અચાનક મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી: આરોગ્ય મંત્રાલય

Back to top button