ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં રોગચાળો બેકાબુ, બાળકો થઇ રહ્યાં છે બીમાર

Text To Speech
  • દર્દીઓની સંખ્યા વધી જતાં હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ શરૂ
  • યુએચસી હેઠળ આવતા વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો ડોર-ટુ-ડોર કામગીરી કરી રહી છે
  • સવારે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુ જોવા મળી

જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો શરૂ થતા ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેમાં ખાસ કરી બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યાં છે. મોસમ બદલાતા સવારે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.

યુએચસી હેઠળ આવતા વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો ડોર-ટુ-ડોર કામગીરી કરી રહી છે

રોગચાળો વધતા જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ જામનગરના શહેરી વિસ્તારમાં 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. તેથી 12 યુએચસી હેઠળ આવતા વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો ડોર-ટુ-ડોર કામગીરી કરી રહી છે.

300થી વધુ કેસોમાં તેઓના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી

તંત્રને તાવના મળી આવેલા 300થી વધુ કેસોમાં તેઓના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ 106 થી 120 ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જે પૈકી રોજ 30-35 દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે.

દર્દીઓની સંખ્યા વધી જતાં હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ શરૂ

બાળકોમાં પણ ઋતુજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ દૈનિક મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: અંકલેશ્વર GIDCની વધુ એક કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ

Back to top button