ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતીય ક્રિકેટ ટીમ સિલેક્શન સમિતિમાં નવા સભ્યની એન્ટ્રી, જાણો કોણ આવ્યું

Text To Speech

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમને નવા સિલેક્ટર મળ્યા છે. BCCIએ મેન્સ સિનિયર ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. પૂર્વ ક્રિકેટર અજય રાત્રાની પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. અજય રાત્રા અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સલિલ અંકોલાની જગ્યા લેશે.

BCCIની પસંદગી સમિતિમાં પાંચ ઝોનમાંથી પાંચ સભ્યો હોય છે. અજય રાત્રા આ સમિતિમાં ઉત્તર ઝોનનું નેતૃત્વ કરશે. અજય રાત્રાની ભૂમિકા 5 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે દુલીપ ટ્રોફી શરૂ થશે. ભારતીય ટીમે આગામી શ્રેણી બાંગ્લાદેશ સામે રમવાની છે. અજય રાત્રા આ શ્રેણી માટે પ્રથમ વખત ભારતીય ટીમની પસંદગી કરશે.

અજય રાત્રાએ ભારત માટે 6 ટેસ્ટ મેચ અને 12 ODI મેચ રમી છે. વેસ્ટ ઈન્ડિઝમાં પણ તેના નામે સદી છે. અજય રાત્રાએ વેસ્ટ ઈન્ડિઝ સામે એન્ટિગુઆ ટેસ્ટ મેચમાં 115 રનની અણનમ ઈનિંગ રમી હતી. રાત્રાની કારકિર્દીની આ એકમાત્ર યાદગાર ઇનિંગ હતી. તે પોતાની કારકિર્દીની બાકીની 9 ઇનિંગ્સમાં એક વખત પણ 20 રન બનાવી શક્યો નહોતો. આ રીતે, 19 એપ્રિલ 2002ના રોજ શરૂ થયેલી તેની ટેસ્ટ કારકિર્દી 5 સપ્ટેમ્બર 2002ના રોજ સમાપ્ત થઈ.

રાત્રાની રસપ્રદ વાત એ છે કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી જે વર્ષે શરૂ થઈ હતી તે જ વર્ષે તેનો અંત આવ્યો હતો. તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 19 જાન્યુઆરી 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. અજય રાત્રાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. અજય રાત્રાએ તેની છેલ્લી ODI અને છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલના એક જ મેદાન પર રમી હતી.

Back to top button