ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર સરકારને ચૂંટણીપંચનો મોટો ફટકો: આચારસંહિતા ભંગના કિસ્સામાં મોટી કાર્યવાહી

  • ચૂંટણીપંચના આદેશની શિંદે સરકાર દ્વારા અવમાનના કરવામાં આવી

નવી દિલ્હી, 18 ઓકટોબર: વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણીપંચે મહારાષ્ટ્રની શિંદે સરકારને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણીપંચે રાજ્યની મહાયુતિની આગેવાનીવાળી શિંદે સરકાર સામે ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી છે. શિંદે સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પહેલા કરવામાં આવેલી નિમણૂકો અને ઉતાવળે લીધેલા નિર્ણયોને આચારસંહિતા લાગુ થયા બાદ અમલમાં લાવવાને ચૂંટણીપંચે આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે ચૂંટણીપંચે આચારસંહિતા લાગુ રહે ત્યાં સુધી નિર્ણયો-નિયુક્તિઓને જેમની તેમ રાખવાનો આદેશ આપ્યો છે, છતાં પણ સરકારે આ આદેશનો અમલ ન કર્યો. ઉલટાનું, નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો અને ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા. જેને ચૂંટણીપંચે આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ મામલાને ગંભીરતાથી લઈને શિંદે સરકારને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણીપંચના આક્રમક વલણ બાદ રાજ્ય સરકારે આચારસંહિતા દરમિયાન સરકારી વેબસાઇટ પર જારી કરાયેલા 103 નિર્ણયો (GR) અને 8 ટેન્ડર રદ્દ કર્યા છે.

15મી ઓક્ટોબરની રાત્રે જ કરવામાં આવ્યા હતા અપલોડ

અહેવાલો અનુસાર, 15 ઓક્ટોબરે બપોરે 3.30 વાગ્યે ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે, પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મહારાષ્ટ્રની શિંદે સરકારે તેની સત્તાવાર વેબસાઇટ પર લગભગ 200 દરખાસ્તો, નિમણૂંકો અને ટેન્ડરો જાહેર કર્યા. . આ જોયા પછી, ચૂંટણીપંચે શિંદે સરકારને એક પત્ર મોકલ્યો, જેમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો હતો કે, આચારસંહિતા લાગુ થયા પછી સરકારી નિર્ણયો, આદેશો અને ટેન્ડર બહાર પાડી શકાય નહીં. . શિંદે સરકારે ચૂંટણીપંચના આ આદેશની અવગણના કરી. ચૂંટણીપંચના આ પત્ર પછી શિંદે સરકારે ઉતાવળમાં વેબસાઈટ પર અપલોડ કરાયેલા પ્રસ્તાવ, ઓર્ડર અને ટેન્ડરને હટાવી દીધા.

મહારાષ્ટ્રમાં બે ગઠબંધન વચ્ચે ગાઢ હરીફાઈ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આ વખતે બે ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર થશે. બંને મહાગઠબંધનમાં 3-3 પક્ષો સામેલ છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે. હવે ઉમેદવારોના નામ પર મનોમંથન ચાલી રહ્યું છે.

આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં આ બે સીટ માટે UBT શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, જાણો શું છે MVAની સ્થિતિ

Back to top button