ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હીટવેવની અસર યથાવત, જાણો તાપમાનનો પારો કેટલો રહેશે

  • ગરમીના એલર્ટના પગલે પાલિકાનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું
  • અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી નોંધાશે
  • સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણામાં હીટવેવની અસર

ગુજરાત રાજ્યમાં હીટવેવની અસર યથાવત રહેશે. જેમાં રાજકોટ, ભાવનગર, જુનગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. તેમજ અમદાવાદમાં હીટવેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તથા અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી નોંધાશે. તેમજ સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણામાં હીટવેવની અસર રહેશે.

ગરમીના એલર્ટના પગલે પાલિકાનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું

શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આગામી દિવસોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ એલર્ટના પગલે પાલિકાનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. શહેરમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત વિવિધ કામગીરીઓ માટે તમામ વિભાગોને સુચના આપી દેવામાં આવી છે. ગરમીમાં મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો છે. અન્નપૂર્ણા યોજના કેન્દ્ર પર શ્રમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે સુચના આપવામાં આવી છે.

ભાવનગર, જુનગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, સુરત, વલસાડ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જુનગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. રાજ્યવાસીઓ ગરમીમાં પ્રકોપથી શેકાશે. યલો એલર્ટ અમરેલી, નવસારી, કચ્છ, મહેસાણા તથા વડોદરામનાં રહેશે, હવામાન વિભાગના મેપ અનુસાર ગઇકાલ પડેલી ગરમી પર નજર કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમદાવાદ 44.5 ડિગ્રી, આણંદ 44.1 ડિગ્રી, વડોદરા 44.2 ડિગ્રી, બનાસકાંઠા 43.2 ડિગ્રી, ભાવનગર 42.4 ડિગ્રી, રાજકોટ 44.2 ડિગ્રી, અમરેલી 44.0 ડિગ્રી તથા જામનગર 43 ડિગ્રી તેમજ જુનાગઢ 41.7 ડિગ્રી તેમજ કચ્છ 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાઈ તે માટેની કામગીરી કરવા જણાવ્યું

શહેરમાં જે બાંધકામ સાઇડ ચાલી રહી છે તે સાઇટ પર શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે બપોરે ચાર કલાક સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ બાંધકામ સાઈટ પર શ્રમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે બપોરના કામકાજના કલાકોમાં ફેરફાર કરવા તથા કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાઈ તે માટેની કામગીરી કરવા જણાવ્યું છે.

Back to top button