ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત: રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સામુહિક હડતાળની જાહેરાત

Text To Speech
  • કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય
  • રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાયા હતા
  • ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે

ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી.

રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાયા હતા

હડતાળને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાઇ છે. સુરત ડાયમંડ વર્કર એસોસીએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્નકલાકારોને કનડગતા પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી છે.

ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે

રત્નકલાકારોની માંગણી છે કે ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે. રત્નકલાકારને આર્થિક સહાય, આપધાત કરનાર રત્નકલાકારાના પરિવારોને મદદ અને વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે અને સરકાર દ્વારા રત્નકલાકારો માટે જે પોઝીટીવ ચર્ચાઓ થાય છે તેની પોઝીટીવ જાહેરાત થાય એવી માંગ કરાઇ રહી છે.

આ પણ વાંચો: આણંદ: આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ

Back to top button