નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલાં નોરતે 2.5 લાખ ભક્તોએ દર્શન કર્યા
![Pavagadh](https://humdekhenge.in/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-24-at-1.42.15-PM.jpeg)
- જય માતાજીનો ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું
- યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું
- એસટી તંત્ર દ્વારા 56 બસ અવિરત દોડાવાઇ
નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલાં નોરતે 2.5 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. જેમાં પ્રથમ નોરતાએ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. જ્યારે નિજ દ્વારા ખુલતાં ભક્તોએ જયઘોષ કર્યો હતો. આગલા દિવસ શનિવાર રાત્રેથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો જનસૈલાબ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ST બસ પલટી, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર
યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું
આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ શનિ-રવિવારની રજા હોય યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું અઢી લાખ માઇ ભકતોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા. પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે. તેમાં પણ આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
આ પણ વાંચો: નવરાત્રીમાં આ વિસ્તારો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
જય માતાજીનો ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું
રવિવારના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વને લઈ માઇ ભક્તો શનિવાર રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે સાડા ત્રણ કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું.
એસટી તંત્ર દ્વારા 56 બસ અવિરત દોડાવાઇ
પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન તળેટીથીમાંચી સુધી યાત્રાળુઓને આવા જોવા માટે એસટી નિગમ દ્વારા 56 બસ અવિરત દોડાવામાં આવી હતી. જેમાં એસટી નિગમે રાત્રિના 12 કલાકથી બપોરના 3 સુધીમાં 45 હજાર યાત્રિકોએ મુસાફરી કરી હતી. જેના દ્વારા એસટી નિગમને 7.75 લાખની આવક થઈ હતી.