ગુજરાત

અમદાવાદમાં ઔડા દ્વારા આ વિસ્તારોમાં પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે

Text To Speech
  • અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું
  • રિવ્યુ જોયા પછી અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે
  • 17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી

અમદાવાદમાં ઔડા દ્વારા બોપલ, ચાંદખેડા તેમજ વેજલપુરના પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે. અગાઉ જાહેરાત કરીને અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું. ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ અધિકારીઓએ ઓફર સારી છતાં હરાજી રદ કરવી પડી હતી. આ હરાજીનો રિવ્યુ જોયા પછી અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે.

આ પણ વાંચો: ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા 

અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું

શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા બોપલ ચાંદખેડા અને વેજલપુરના રેસીડેન્સીયલ-કોમર્શીયલ હેતુના પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે. આ પ્લોટના ઇ-ઓક્શન માટે અગાઉ જાહેરાત કરાઇ હતી. પરંતુ અચાનક ઇ-ઓક્શન રદ કરી દેવાયું હતું. ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ અધિકારીઓએ ઓફર સારી છતાં હરાજી રદ કરવી પડી હતી. આ હરાજીનો રિવ્યુ જોયા પછી આગામી ચાલુવર્ષે અન્ય વિસ્તારોના પ્લોટોની હરાજી થશે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ ભલામણને મંજૂરી આપી થઇ કરોડો રૂપિયાની આવક

17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી

ઔડાની બોર્ડ બેઠકમાં ફરી ઇ-ઓક્શનનો નિર્ણય કરીને તા. 21-12-23 થી 17-1-24 સુધી ઓફર મંગાવવામાં આવી છે. ઔડાના સીઇઓ ડી.પી.દેસાઇએ કહ્યું કે, અગાઉ ઇ-ઓક્શનનો રદ કરવાનો નિર્ણય બોર્ડમાં કરાયો હતો. પરંતુ આ વખતે પૂરતી ઓફર આવશે. આગામી 24 અને 25મી જાન્યુઆરીના રોજ હરાજી થશે. અંદાજે એક હજાર કરોડથી વધુ રકમ ઊભી થવાનો અંદાજ છે. જે ઔડાના વિકાસ કાર્યોમાં વપરાશે.

Back to top button