ધર્મ

મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, 3 રાશિને થશે લાભ

Text To Speech

આ વર્ષની મહાશિવરાત્રી ઘણી રીતે ખૂબ જ ખાસ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શિવરાત્રીના દિવસે 30 વર્ષ બાદ એક દુર્લભ યોગ બની રહ્યો છે. શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે છે. આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનો વિવાહ થાય છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભક્ત જો પુરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે, તો તેમને જીવનની ઘણી સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Mahashivratri Puja Vidhi
Mahashivratri Puja Vidhi

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. 30 વર્ષ બાદ આ દિવસે એક દુર્લભ સંયોગ બન્યો છે. મહાશિવરાત્રીના દિવસે પિતા સૂર્ય અને પુત્ર શનિ કુંભ રાશિમાં સાથે રહેશે. જ્યારે શુક્ર મીન રાશિમાં બેઠો હશે. આવી સ્થિતિમાં આ દિવસે દૂગ્ધ-શર્કરાનો યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે 3 રાશિવાળા લોકોને ઘણો ફાયદો થશે.

shiv parvati2 hum dekhenge news

મેષ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર મેષ રાશિના લોકો પર ખૂબ જ કૃપાળુ રહેશે. આ સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. વ્યાપારીઓને મોટો ફાયદો થશે. આ ઉપરાંત નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે. વિવાહિત જીવનમાં મધુર સંબંધો બનશે.

વૃષભ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રીથી સારા દિવસોની શરૂઆત થશે. આ દિવસથી ભાગ્યનો સાથ તમને મળવા લાગશે. આ સાથે વેપારમાં પ્રગતિ થશે. મેષ રાશિના લોકોને ભરપૂર પૈસા મળશે. આ સમય રોકાણ માટે આ શ્રેષ્ઠ છે.

કુંભ રાશિ પર દુગ્ધ શર્કરા યોગની અસર : કુંભ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ શુભ પરિણામ લાવશે. કુંભ રાશિના લોકો જે પણ કામમાં હાથમાં લેશે, તેમાં તેમને સફળતા મળશે. આ સાથે અપરિણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે. આ ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બનશે.

Back to top button