ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીના નિવાસસ્થાન ઉપર નો ફ્લાઈંગ ઝોનમાં દેખાયુ ડ્રોન!

Text To Speech

નવી દિલ્હીના ઉચ્ચ સુરક્ષા અને નો ફ્લાઈંગ ઝોનમાં સ્થિત વડા પ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાડવાના પીસીઆર કોલથી હલચલ મચી ગઈ હતી. આ સમગ્ર વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (3 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે, એક વ્યક્તિએ પીએમ હાઉસ પર કંઈક ઉડતું જોઈને કોલ કર્યો, જેના પછી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ થઈ ગઈ. SPGએ આ બાબતે નવી દિલ્હી પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ તમામ અધિકારીઓ અને ડ્રોનની શોધખોળ શરુ કરી હતી.

pm modidrone-hdnews

એસપીજીએ તપાસ કરી પરંતુ તપાસમાં એવું કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ બાબતે તપાસ ચાલુ છે.

પીએમના નિવાસસ્થાને પહોંચવાની સુરક્ષા તપાસ એટલી કડક છે કે તેમના પરિવારનો કોઈ સભ્ય આવે તો પણ તેણે પણ આ જ તપાસમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનના નિવાસસ્થાને એન્ટ્રી 9, લોક કલ્યાણ માર્ગથી મળે છે. સૌ પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવીએ કે, કોઈપણ વ્યક્તિએ પ્રવેશ લેતા પહેલા, સચિવો દ્વારા મળવા આવનાર લોકોની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ જ ત્યાં મળી શકે છે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

ભારતના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન રાજધાની દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર આવેલ બંગલા નંબર 7 છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગલા નંબર 7માં રહે છે. તેઓ 2014થી અહીં રહે છે. વડાપ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ ‘પંચવટી’ છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યું છે.

Back to top button