અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ કપ

શું પાકિસ્તાને મેચ પહેલાં જ હાર સ્વીકારી લીધી?

Text To Speech

World Cup: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે રમાનારા વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાની ટીમ દેખીતી રીતે ભારે દબાણમાં હોય એવું લાગે છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે એવું નિવેદન કર્યું છે કે, “આવી એક મેચ હારવાથી મારી કેપ્ટનશિપ ઉપર કોઈ જોખમ નહીં આવે.”

શહેરના એક અખબારે પાકિસ્તાની કેપ્ટનને એવું કહેતો ટાંક્યો છે કે, કંઈ એક મેચથી તેની કેપ્ટનશિપનું ભાવિ નક્કી નહીં થાય. એક પ્રશ્નના જવાબમાં બાબરે આ મુજબ કહ્યું હતું, “એક મેચ સે મેરી કપ્તાની નહીં જાએગી, ના મિલી થી.”

તેના આ નિવેદન મેચ પહેલાં હારની સ્વિકૃતિ હોવાનું ક્રિકેટ નિષ્ણાતો માને છે.

આ અગાઉ મેચ પહેલાંની પત્રકાર પરિષદમાં બાબર આઝમે એમ કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, વર્લ્ડકપની આ મેચમાં ક્રિકેટને બદલે ટિકિટના વેચાણનું દબાણ વધારે હોય એવું લાગે છે.

દરમિયાન, મેચ પહેલાં સ્ટેડિયમ ઉપર કેવો મૂડ છે? જૂઓ અહીં…

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

Back to top button