

દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. દ્રૌપદી મૂર્મુ નવા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું સ્થાન લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મૂર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને મોટી જીત મેળવી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આજે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નિવૃત્તિ બાદ પણ રાષ્ટ્રપતિને અનેક સુવિધાઓ આપવામાં આવે છે.

દ્રૌપદી મુર્મુ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન છોડવું પડશે. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં 12 જનપથ સ્થિત બંગલામાં શિફ્ટ થશે. આ બંગલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન દાયકાઓ સુધી રહેતા હતા. નિવૃત્ત થયા પછી પણ ભારતના રાષ્ટ્રપતિ વૈભવી જીવન જીવે છે. ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડરના પદ પરથી નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિને અનેક ભથ્થા અને સુવિધાઓ મળે છે. પૂર્વ રાષ્ટ્રપતિને 8 રૂમનો સરકારી બંગલો આપવામાં આવ્યો છે. આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પણ તગડા પેન્શનના હકદાર છે.
પૂર્વ રાષ્ટ્રપતિને શું સુવિધાઓ ઉપલબ્ધ છે?
- રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત્ત થયા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દર મહિને રૂ. 1.5 લાખનું પેન્શન
- પત્નીને દર મહિને સચિવ સહાય તરીકે 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
- સેક્રેટરીયલ સ્ટાફ અને ઓફિસ માટે રૂ. 60,000 આપવામાં આવે છે
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ઓછામાં ઓછા 8 રૂમ ધરાવતો બંગલો આપવામાં આવે છે
- પૂર્વ રાષ્ટ્રપતિને 2 લેન્ડલાઈન, એક મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેક્શન
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મફત વીજળી અને પાણીની સુવિધા
- વાહનો અને ડ્રાઇવરો પણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે
- મફત તબીબી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માટે પાંચ લોકોનો અંગત સ્ટાફ પણ ઉપલબ્ધ છે
- દિલ્હી પોલીસની સુરક્ષા આપવામાં આવી છે
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને એક વ્યક્તિ સાથે પ્રથમ વર્ગમાં મફત ટ્રેન અને હવાઈ મુસાફરીની સુવિધા