ટ્રેન્ડિંગધર્મ

ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે? જાણો તિથિ અને શુભ મુહૂર્ત

Text To Speech
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રત યોગ્ય રીતે પૂર્ણ કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે. જાણો ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે છે અને તેનો શુભ સમય કયો છે?

HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રત યોગ્ય રીતે પૂર્ણ કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે. જાણો ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે છે અને તેનો શુભ સમય કયો છે?

 

ફેબ્રુઆરી મહિનાનું અંતિમ પ્રદોષ વ્રત ક્યારે? જાણો તિથિ અને શુભ મુહૂર્ત hum dekhenge news

ફેબ્રુઆરીના પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત

પંચાંગ મુજબ ફેબ્રુઆરીનું છેલ્લું પ્રદોષ વ્રત એટલે કે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:47 વાગ્યે શરૂ થશે. તે 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરીનું છેલ્લું પ્રદોષ વ્રત 25 ફેબ્રુઆરીએ રહેશે. આ પ્રદોષ વ્રતમાં સંધ્યાકાળનો સમય સાંજે 06:18 થી 08:49 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો.

પ્રદોષ વ્રતનો શુભ યોગ

પંચાંગ મુજબ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા પ્રદોષ વ્રતના દિવસે ત્રિપુષ્કર યોગ અને વરિયાન યોગની રચના થઈ રહી છે. તેમાંથી ત્રિપુષ્કર યોગ ખૂબ જ દુર્લભ છે. એવું કહેવાય છે કે આ યોગમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી ભક્તોને બમણો લાભ મળે છે. ઉપરાંત, આ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર પણ હશે, જે શુભ રહેશે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં મહાશિવરાત્રી પર થશે અંતિમ સ્નાન, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button