Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

દેવઉઠી એકાદશી પર કરજો આ કામ, મળશે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ

  • આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બર, 2023ના રોજ ઉજવવામાં આવશે અને તેની સાથે જ તમામ શુભ કાર્યનો પણ પ્રારંભ થશે. આ મહિને અધિક શ્રાવણ મહિનાના કારણે ભગવાન વિષ્ણુ પાંચ મહિના શયનમાં રહ્યાં હતાં. દેવ ઉઠે પછી જ તેમની હાજરીમાં માંગલિક કાર્યો શરૂ કરી શકાય છે.

દેવઉઠી એકાદશીને હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર માનવામાં આવે છે કારણ કે આ દિવસે બ્રહ્માંડના સર્જક ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રા પછી જાગે છે. આ એકાદશીને દેવઉઠી અગિયારસ અને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બર, 2023, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે અને તેની સાથે જ તમામ શુભ કાર્યનો પણ પ્રારંભ થશે. આ મહિને અધિક શ્રાવણ મહિનાના કારણે ભગવાન વિષ્ણુ પાંચ મહિના શયનમાં રહ્યાં હતાં. દેવ ઉઠે પછી જ તેમની હાજરીમાં માંગલિક કાર્યો શરૂ કરી શકાય છે. આ દિવસે રાતે શાલિગ્રામજી અને તુલસી માતાના લગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગનો શુભારંભ થઈ શકે છે. આ દિવસ ઉજવવાની અલગ અલગ વિસ્તારો મુજબ પરંપરા પણ જુદી હોય છે.

દેવઉઠી એકાદશીએ આવી રીતે કરો પૂજા

દેવઉઠી એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને વ્રત લેવું. સાંજના સમયે પૂજા સ્થળની સફાઈ કરવી અને હળદર, લોટથી રંગોળી બનાવો. ઘીના 11 દીવા પ્રગટાવવા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને શેરડી, દાડમ, કેળા, લાડુ, પાંદડા, મૂળા, સિઝનલ ફળો અને અનાજ વગેરે અર્પણ કરવું. મંત્રોનો જાપ કરવો અને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો. આ દિવસે ભગવાનને જગાડવા શંખ કે થાળી વગાડવાની પણ પરંપરા છે. તમે ભજનોનો જાપ કરીને પણ દેવતાઓને જગાડી શકો છો. ચરણામૃત લો. આ દિવસે તુલસીજીની પૂજા કરો. આમ કરવાથી ઘરમાં આખુ વર્ષ સુખ શાંતિ જળવાઈ રહે છે.

દેવઉઠી એકાદશી પર કરજો આ કામ, મળશે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ hum dekhenge news

હજાર યજ્ઞોનું મળશે ફળ

પદ્મ પુરાણ અનુસાર દેવ ઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વ્રત રાખવાથી અને નિયમ પ્રમાણે પૂજા કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. એકાદશીના ઉપવાસથી જ્ઞાન, શાંતિ અને સંતાન પ્રાપ્તિ થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે. તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દેવઉઠી એકાદશીના દિવસે કરો આ મંત્રનો જાપ

ઉત્તિષ્ઠા ગોવિંદ ત્યાજ નિદ્રામ જગતપતયે । ત્વયિ સુપ્તે જગન્નાથ જગત સુપ્તં ભવેદિદમ્
ઉત્તીતે ચેષ્ટે સર્વમુત્તિસ્તોત્તિષ્ઠા માધવા । ગતમેઘ વ્યાચ્ચૈવ નિર્મલં નિર્મલાદિસઃ ॥
શારદાની ચ પુષ્પાણિ ગૃહાણ મમ કેશવ ।

દેવઉઠી એકાદશી પર રવિ યોગ, સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ રચાઇ રહ્યાં છે. જેનાથી મેષ, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિઓનું ભાગ્ય ચમકશે અને તેમને જીવનમાં દરેક ક્ષેત્રમાં લાભ જ લાભ થશે.

આ પણ વાંચોઃ તુલસી વિવાહ પર બની રહ્યા છે 3 શુભ સંયોગઃ લગ્ન જીવનમાં આવશે ખુશીઓ

Back to top button