ગુજરાતમધ્ય ગુજરાત

દિવના સાગર ખેડુ જીતુભાઇએ પાકિસ્તાનમાં પોતાની કલાના કામણ પાથર્યા

Text To Speech

વડોદરા ખાતે આવી પહોંચેલા માછીમારોને કતારબદ્ધ રીતે ટ્રેનના ડબ્બામાંથી ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે, તેમાં એક સાગરખેડૂ તેમણે પોતાના હાથમાં પહેરેલા મોતીકામથી બનેલા બ્રેસલેટથી કંઇક અલગ તરી આવતો હતો. પાકિસ્તાનની જેલમાં આવું બ્રેસલેટ ક્યાંથી મળ્યું હશે ? એવો પ્રશ્ન સ્વભાવિક થાય. તેમને પૂછવામાં આવ્યું તે માછીમારે તુરંત પ્રત્યુત્તર આવ્યો કે કલાને ક્યાંરેય લૂંટી શકાતી નથી. મે જાતે બનાવ્યું છે અને કરાંચીની જેલમાં પણ બનાવીને વેંચતો હતો !

માછીમારો-humdekhengenews

પાકિસ્તાનની જેલમાં રહી મોતીકામ કરી આર્થિક ઉપજ મેળવી

વણાકબારા ખાતે રહેતા જીતુભાઇ સોમાભાઇ બામણિયા અરબી સમુદ્રમાં માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન્સ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને કરાંચીની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જીતુભાઇને પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા અને એક દીકરી પણ છે. જેલમાં ગયા એટલે જીતુભાઇ પ્રથમ કેટલાક દિવસો પડી ભાંગ્યા હતા. ત્યાં રહેલા બીજા માછીમારોએ તેમને સધીયારો આપ્યો અને તેઓ ફરી માનસિક રીતે સ્વસ્થ બન્યા હતા. તે બાદ જીતુભાઇએ પોતને આવડતી મોતીકામની કલા ઉપર ફરી કામ કરવાનું શરૂ કર્યું. જેલના સત્તાધીશો મારફત તેમણે તોલા ઉપર મોતી કામ અને દોરા મંગાવી બ્રેસલેટ બનાવવાનું શરૂ કર્યું. તેમણે બનાવેલા બ્રેસલેટ એટલા કલાત્મક હતા કે કરાંચીની જેલના અધિકારીઓને પણ ખૂબ જ પસંદ પડી ગયા અને તેમણે ખરીદવાનું શરૂ કર્યું.

માછીમારો-humdekhengenews

 મોતીના બ્રેસલેટની ભારે માંગ રહેતી હતી

જીતુભાઇને ઉર્દુ આવડે નહીં પણ અક્ષરોના ઢાળના આધારે બ્રેસલેટમાં નામની ભાત ભરી આપે. આ નામવાળા બ્રેસલેટની ભારે માંગ રહેતી હતી અને તેઓ એક બ્રેસલેટ ચારસો રૂપિયા સુધીમાં વેંચતા હતા. તેમાંથી તેમને આવક થતી હતી. જીતુભાઇ તેમને આવડતી કલાથી કારાવાસનો કપરો સમય પસાર કરી શક્યા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા 200  માછીમારોનું વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું

Back to top button