ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગરીબ કુટુંબોને નવેમ્બરમાં મળવાપાત્ર અનાજના જથ્થાનું વિતરણ શરૂ

Text To Speech
  • ઓક્ટોબર માસમાં રાજ્યના ૭૨ લાખથી વધુ NFSA કુટુંબોને અનાજ વિતરણ કરવામાં આવ્યું
  • નવેમ્બર માસના મળવાપાત્ર જથ્થાના વિતરણનો રાજ્યભરમાં પ્રારંભ
  • રાજ્ય સરકાર દ્વારા વાજબી ભાવના દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં મિનિમમ કમિશન પેટે રૂ. ૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવાઇ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-૨૦૨૩માં રાજ્યના ૭૨.૫૧ લાખ ગરીબ કુટુંબોને અનાજનું ૯૫ ટકા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓક્ટોબર માસમાં બાકી રહી ગયેલા કાર્ડ ધારકોને નવેમ્બર માસમાં અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત આગામી તહેવારો નિમિત્તે મળવાપાત્ર જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે,જેનું વિતરણ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો લાભાર્થી કુટુંબો બને તેટલો મહત્તમ લાભ લે તે જરૂરી છે.

પુરવઠા મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકાર દ્વારા આગોતરું આયોજન કરી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩’ હેઠળના રેશનકાર્ડધારકોને રાહત દરે કાર્ડદીઠ ૧ લિટર સીંગતેલ અને બીપીએલ રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું ઓક્ટોબર-૨૦૨૩માં વિતરણ કરવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં ૭૩,૦૦૦ મે.ટન ઘઉં, ૧.૦૫ લાખ મે.ટન ચોખા, ખાદ્યતેલ-સીંગતેલના એક લીટરના ૬૭ લાખ પાઉચ, ૮,૫૦૦ મે.ટન ખાંડ, ૫,૦૦૦ મે.ટન ચણા અને ૩,૩૦૦ મે.ટન ડબલફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉપરાંત, કોઈ કાર્ડધારક દિવાળીના તહેવારમાં આ સસ્તા અનાજની યોજનાથી બાકાત રહે નહી તેનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.સાથે જ ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત જિલ્લાના તમામ વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન રૂ.૨૦,૦૦૦ પેટે રૂ.૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : GST ક્લેકશન ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વાર રૂપિયા 1.70 લાખ કરોડને પાર

Back to top button