ઉત્તર ગુજરાતગુજરાત

આફતની આગાહી : બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મે દરમિયાન માવઠાની આગાહી

Text To Speech
  • માર્કેટિંગ યાર્ડમાં પડેલી ખુલ્લી જણસને સલામત સ્થળે રાખવા તાકીદ કરાઈ

પાલનપુર : બનાસકાંઠામાં ફરી એકવાર આફતની આગાહી આપવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદની આગાહીને લઈ વહીવટ તંત્ર એલર્ટ થતા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે પત્ર જાહેર કર્યો છે. જિલ્લાના 28 થી 30 મે દરમ્યાન કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે. જિલ્લાના માર્કેટયાર્ડ વિભાગ સહીત ખેડૂતોને સતર્ક રહેવા કરાઈ તાકીદ કરાઈ છે. જોકે ઉનાળુ બાજરી મગફળી જેવા પાકો હાલ લેવાના સમયે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.


બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 25 મે’23 ના ઈ-મેઈલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 28 થી 30 મે’23 ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે પત્ર દ્વારા સતર્ક રહેવા તાકેદ કરાઈ છે ઉલ્લેખનીય છે કે, એક બાજુ ઉનાળો સીઝનની મગફળી, બાજરી જેવા પાકો લેવાના સમયે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

આ પણ વાંચો : વડોદરા: ધો. 10ના પરિણામ સામે વિદ્યાર્થીની જિંદગી હારી ગઇ, નાપાસ થતા ભર્યું અંતિમ પગલું

Back to top button