ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું ખેડૂત આંદોલન નિષ્ફળ રહ્યું? રેલ રોકો દરમિયાન સંગઠનોમાં ફાટફૂટ

  • ખેડૂત સંગઠનોએ એકબીજા પર આરોપ લગાવતાં જોવા મળ્યા 

નવી દિલ્હી, 11 માર્ચ: ખેડૂત સંગઠનોએ તેમની માગણીઓને લઈને રવિવારે રેલ રોકો આંદોલનનું આહ્વાન કર્યું હતું. ઘણી જગ્યાએ ખેડૂતોએ પાટા પર બેસીને થોડા કલાકો માટે ટ્રેનોની અવરજવર અટકાવી દીધી હતી. જો કે તેની બહુ અસર જોવા મળી ન હતી કારણ કે આ રેલ રોકો અભિયાનમાં તમામ સંગઠનો એકસાથે આવ્યા ન હતા. જ્યારે સંયુક્ત કિસાન મોરચા (SKM)નું કહેવું છે કે, ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ અને સરવનસિંહ પંઢેર તેમની સાથે વાત કરવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રેન રોકીને કેટલાક ખેડૂત સંગઠનો ફરી એકવાર આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તે સફળ થાય તેવું જણાતું નથી. પંજાબ અને હરિયાણાની સરહદો પર ખેડૂત સંગઠનો એક મહિના કરતાં વધુ સમયથી ઉભા છે. તેઓ દિલ્હી જવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં તેમને રોકી દેવામાં આવ્યા છે.

ખેડૂત સંગઠનોએ એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કર્યું

રવિવારે બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી SKM અને SKM (બિન-રાજકીય) અનેક જગ્યાએ આંદોલન કર્યું અને રેલવે ટ્રેક પર બેસી ગયા. જો કે, ખેડૂત સંગઠનોમાં ઘણા મુદ્દાઓ પર મતભેદો ઉભરી રહ્યા છે અને તેઓએ એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતોની એકતા ખંડિત થઈ રહી છે. રવિવારે, ખેડૂત સંગઠનોએ ટ્રેન રોકીને વિરોધ કર્યો પરંતુ SKM અને SKM (બિન-રાજકીય) વચ્ચે મતભેદો પણબહાર આવ્યા છે.

સંયુક્ત કિસાન મોરચા, જે શંભુ અને ખનૌરી સરહદ પર આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. તેણે કહ્યું કે, SKM (બિનરાજકીય) સાથે હાથ મિલાવવાનો કોઈ ફાયદો નથી. બીજી બાજુ, ભારતી કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ)એ કહ્યું કે, તેમને SKM (બિનરાજકીય) નેતા જગજીતસિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચાના વડા સર્વન સિંહ પંઢેર તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. BKU ઉગ્રહાનના જનરલ સેક્રેટરી સુખદેવ સિંહ કોકરીકલને કહ્યું કે તેમણે રેલ રોકો અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હરિયાણા બોર્ડર પર એક સાથે ન આવી શકે.

કિસાન નેતા તરફથી કોઈ પ્રતિસાદ નહીં

સંયુક્ત કિસાન મોરચા, જે શંભુ અને ખનૌરી સરહદ પર આંદોલનનું નેતૃત્વ કરી રહી છે, તેણે કહ્યું કે એસકેએમ (બિનરાજકીય) સાથે હાથ મિલાવવાનો કોઈ ફાયદો નથી. બીજી બાજુ, ભારતી કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ)એ કહ્યું કે, તેમને SKM (બિનરાજકીય) નેતા જગજીતસિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચાના વડા સરવનસિંહ પંઢેર તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. BKU (એકતા ઉગ્રહણ)ના જનરલ સેક્રેટરી સુખદેવસિંહ કોકરીકલને કહ્યું કે, તેમણે રેલ રોકો અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેઓ હરિયાણા બોર્ડર પર એક સાથે ન આવી શકે.

ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે શું કહ્યું?

ભટિંડામાં લોકોને સંબોધિત કરતી વખતે દલ્લેવાલે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચો MSP(ન્યૂનતમ ટેકાના ભાવ) પર ગેરંટીનો મુદ્દો ઉઠાવી રહી નથી. તેમણે કહ્યું કે, 2020-21ના આંદોલન દરમિયાન ખેડૂતોએ કૃષિ કાયદાઓ સામે લડત ચલાવી હતી. તેમની માંગ હતી કે, MSP પર કાયદો બનાવવો જોઈએ. નવાઈની વાત છે કે, તેઓ એ માંગણીઓ ભૂલી ગયા છે. SKMને (બિન-રાજકીય) આંદોલનને ફરી શરૂ કરવાની ફરજ પડી. અમને ઘણા રાજ્યોમાંથી સમર્થન મળી રહ્યું છે જેથી આ લડાઈ ચાલુ રહેશે.

BKUના પ્રમુખ જોગીન્દરસિંહે શું કહ્યું?

SKM કહે છે કે,તેઓ તમામ ખેડૂત સંગઠનોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ દલ્લેવાલ અને પંઢેર તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. આ દરમિયાન, BKU એકતા ઉગ્રહણના પ્રમુખ જોગીન્દરસિંહે કહ્યું કે, તેમણે માત્ર પંઢેર અને દલ્લેવાલના કારણે રેલ રોકોમાં ભાગ લીધો ન હતો. તેમણે કહ્યું કે, અમે પંજાબના ખેડૂતો માટે લડી રહ્યા છીએ. પરંતુ દલ્લેવાલ અને પંઢેર અમારી સાથે વાત કરવા માંગતા નથી.

આ પણ જુઓ: ચૂંટણી બોન્ડ પર SCએ SBIની અરજી ફગાવી, આવતીકાલે વિગતો જાહેર કરવાનો કર્યો આદેશ

Back to top button