ગુજરાતટોપ ન્યૂઝ

દેશભરમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓની હિંસાત્મક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માંગ

Text To Speech

પાલનપુર, દેશભરમાં ઈસ્લામિક જેહાદી કટ્ટરવાદીઓ દ્વારા શરૂ થયેલી રાષ્ટ્રવિરોધી અને હિંસાત્મક પ્રવૃત્તિઓ ને અટકાવી આવા કટ્ટરવાદી તત્વો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાર્યવાહી હેઠળ સખત પગલાં લેવા બજરંગ દળ દ્વારા દેશ વ્યાપી આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે. આ સાથે જે વિસ્તારમાં હિન્દુઓની સંખ્યા લઘુમતીમાં હોય ત્યાં હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા આપવાની પણ માંગ કરાઇ છે.

તાજેતરમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલના નિવેદનો બાદ દેશભરમાં ઇસ્લામિક જેહાદી મુવમેન્ટ ખૂબ જ કટ્ટર બની ગઈ છે. છેલ્લા બે શુક્રવારથી જુમ્માની નમાજ બાદ દેશભરમાં હિંસાત્મક પ્રવૃત્તિઓ અને હિંદુ વિસ્તારોમાં તોડફોડ, આગજની અને હત્યાના બનાવો વધી રહ્યા છે. જેથી બજરંગ દળ દ્વારા દેશભરમાં આ મુદ્દે આવેદનપત્ર આપી આવા કટ્ટરવાદી ઇસ્લામિક જેહાદી સંસ્થાનો, કટ્ટરવાદ પેદા કરતાં મૌલાના, મૌલવીઓ, ધર્મગુરુઓ તેમજ ભડકાઉ ભાષણ આપતા નેતાઓ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.
ડીસા ખાતે બજરંગ દળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે શુક્રવારથી જુમ્માની નમાજ બાદ કરવામાં આવેલા રમખાણો કરતા તત્વોની ઓળખાણ કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમજ ભડકાઉ ભાષણ કરતા મુલ્લાઓ,મૌલવીઓ, ધર્મગુરુઓ અને નેતાઓને તાત્કાલિક પકડી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. દેશમાં કટ્ટરતા ફેલાવી હિંસા ફેલાવતા જમિયત ઉલેમા હિન્દ, તબલીગી જમાત, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા આતંકવાદી સંગઠનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવે. જે વિસ્તારમાં હિંદુ અલ્પસંખ્યક છે તેવા વિસ્તારોમાં હિન્દુઓને પુરી સુરક્ષા આપવામાં આવે અને તેવા વિસ્તારોમાં તાત્કાલિક પોલીસ ચોકીઓ શરૂ કરવામાં આવે અને હિન્દુ અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે તેવી પણ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.

Back to top button