ટોપ ન્યૂઝનેશનલ

Delhi : લિકર કૌભાંડના તાર તેલંગાણા, ગોવા અને પંજાબ સુધી

Text To Speech

સીબીઆઇ દ્વારા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપક બાદ દિલ્લી સહિત સમગ્ર ભારતમાં આમ આદમી પાર્ટી આને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કૌભાંડ બહુ મોટું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના તાર તેલંગાણા, ગોવા આને પંજાબ સુધી જોડાયેલા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે CMની પુત્રીની ધરપકડ થવાની શક્યતા
કૌભાંડ - Humdekhengenews મનીષ સિસોદિયાની ધરપકડ પહેલા આ સમગ્ર કૌભાંડ અંગે કેસીઆરની પુત્રી કવિતાની પણ અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ એક મોટા નેતાના પુત્રની પણ ઇડી દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી પ્રમાણે પંજાબ અને ગુજરાતની ચુંટણીમાં પણ આ કભાંડના પૈસા વાપરવામાં આવ્યા હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે હાલ સમગ્ર મામલે સીબીઆઇ પુરાવાના આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણા સીએમના પુત્રી કે.કવિતાને સમન્સ, 6 ડિસેમ્બરે CBI એ બોલાવી

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્વારા મનીષ સિસોદિયાના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે જેના વિરુદ્ધમાં મનિષના વકીલે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે ત્યારે ક્યાંક આ સમગ્ર કૌભાંડને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. હવે આગળની કાર્યવાહી પર હાલ સૌ કોઇની નજર છે.

Back to top button