ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 24 કલાકમાં નવા 70 કેસ

Text To Speech

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 14-14 કેસ નોંધાયા છે.

આ સિવાય સુરત કોર્પોરેશનમાં 10 કેસ,સાબરકાંઠા અને સુરતમાં 6-6 કેસ,આણંદમાં 4 કેસ, વલસાડમાં 3 કેસ,કચ્છ અને વડોદરામાં 2-2 કેસ, અમરેલી, ભરૂચ,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, પોરબંદર,અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1093 થયા છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1087 દર્દીઓ સ્ટેબલ છે. 24 કલાકમાં વધુ 195 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12 લાખ 78 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 11,074 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 ટકા છે.

Back to top button