અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન

Text To Speech

ગાંધીનગર, 17 ઓગસ્ટ 2024, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આજે સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવા રવાના થશે. રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.

ગઈકાલથી જ હર્ષ સંઘવી સુરતમાં હતા
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીના પિતા છેલ્લા ઘણા સમયથી ના તંદુરસ્તીને કારણે સારવાર લઈ રહ્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પિતાની સારવાર દરમિયાન હાજર હતા. લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું આજરોજ નિધન થયું છે.

આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

Back to top button