ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

જગદંબાના શક્તિપીઠ અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, જાણો કયા કયા થયા ફેરફાર

બનાસકાંઠા, 2 ઓકટોબર, નવરાત્રીને નજીક આવી રહી છે ત્યારે રાજ્યના વિવિધ મંદિરોમાં માતાજીના દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) તારીખ 3 ઓક્ટોબર, ગુરુવારના રોજથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર થયાની જાણ કરવામાં આવી છે. માં અંબાના દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરમાં કરવામાં આવતી આરતી અને દર્શનનો સમય જાહેર કરાયો છે.

ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતુમાં જગદંબાના મંદિરમાં માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી માઇભકતો દર રોજ હજારોની સંખ્યામાં આવે છે. વર્ષ દરમ્યાન સંખ્યાબંધ વખત સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અને અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આવતી કાલે આસો સુદ -1 (એકમ) ગુરૂવાર તા. 03/10/24ના રોજથી માતાજી ની આરતી તથા દર્શનનો સમય મા ફેરફાર કરવામાં આવ્યો છે, અને અંબાજી મંદિર મા આવતીકાલે ઘટ સ્થાપન આસો સુદ-1(એકમ) ગુરૂવાર ના સવારે 11:00 થી 12:00 કલાકે કરવા મા આવશે. નવરાત્રી દરમિયાન ભક્તોને આરતી અને દર્શનનો લાભ મળી રહે તે માટે અંબાજી ટ્રસ્ટ વિશેષ આયોજન કરે છે.

જાણો કયા કયા થયા ફેરફાર

આસો સુદ-1(એકમ) ગુરૂવારે સવારે આરતીનો સમય 07:30 થી 08:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. સવારે 11:00 થી 12:00 કલાકે ઘટસ્થાપન થશે. બપોરે 12:00 કલાકે મા અંબાને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો સવારે 08:00 થી 11:30 સુધી તથા બપોરે 12:30થી સાંજે 16:15 સુધી મા અંબાના દર્શન કરી શકશે. સાંજે આરતીનો સમય 18:30થી 19:00 સુધીનો રહેશે. ભક્તો સાંજે 19:00થી 21:00 વાગ્યા સુધી માના દર્શન કરી શકશે. આસો સુદ-8 (આઠમ) તા. 11/10/2024 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકનો રહેશે. ઉત્થાપનનો સમય સવારે 10:00 કલાક સુધીનો રહેશે. આસો સુદ 10-વિજયા દશમી (સમીપુજન)તા. 12/10/2024 ના સાંજે 05:00 કલાકે દુધપૌઆનો ભોગ ધરાવવામાં આવશે. તા.16/10/2024ના બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી કરવામાં આવશે. આસો સુદ-15(પુનમ) તા. 17/10/2024 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાક સુધીનો રહેશે. તા. 18/10/2024થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.

આ પણ વાંચો…નવરાત્રીમાં આ વર્ષે છે કઈ તિથિનો ક્ષય? આઠમ અને નોમ ક્યારે ઉજવાશે?

Back to top button