ઉત્તર ગુજરાતગુજરાત

મનરેગા કર્મીઓની સાથે આવ્યા દાંતીવાડા ના શ્રમિકો, રોજગારથી અળગા રહેવા ટીડીઓ ને આપ્યું આવેદનપત્ર

Text To Speech

પાલનપુર: દાંતીવાડા તાલુકા પંચાયત મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇ ને ચાર સપ્તાહથી હડતાળ ઉપર ઉતરેલા છે. જેમના સમર્થનમાં મનરેગામાં શ્રમ કરતા શ્રમિકો સાથે આવ્યાં છે. તેઓએ મનરેગા કર્મીઓના સમર્થનમાં જોડાઈ ને રોજગારથી સ્વૈચ્છિક અળગા રહેવા માટે ટી.ડી.ઓ. ને લેખીત આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.દાંતીવાડા મનરેગાના એપીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ, એમઆઈએસ અને જીઆરએસ વગેરે તમામ કર્મીઓ આ યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી મામૂલી નજીવા પગાર દર થી કરાર આધારિત ફરજ બજાવે છે. તેમની વાહરે હવે મનરેગા યોજનામાં રોજગારી મેળવતા શ્રમિકો પણ આવ્યા છે.

દાંતીવાડા તાલુકાના શ્રમિકો

મંગળવાર એ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મજૂરી કરતા શ્રમિકોએ ટી.ડી.ઓ. અંકિતા ઓઝાને લેખિતમાં આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, કર્મીઓની સરકાર એ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ‘સમાન કામ સમાન વેતન’નો હક આપે. તેમજ દર વર્ષે મળવાપાત્ર 15 ટકા પગાર વધારો અને 11 માસના કરાર આધારિત કર્મીઓને ખાલી થતી કાયમી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવે. અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી મજૂરી કરી રોજગારી મેળવતા તાલુકાના તમામ શ્રમિકો કામથી અળગા રહી વિરોધ નોંધાવશે.

 

 

Back to top button