ટોપ ન્યૂઝનેશનલ

બંગાળની ખાડીમાં ‘મોચા’ ચક્રવાતનું જોખમ, હવામાન ખાતાએ આપી ચેતવણી

Text To Speech

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાનને લઈને ચેતવણી આપવામા આવી છે. IMD ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાતા 6 મેના રોજ એક ચક્રવાત મોચા નામનું ચક્રવાત ત્રાટકશે તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે.

6 મેના રોજ મોચા નામનું ચક્રવાત ત્રાટકશે

ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ચક્રવાતી વાવાઝોડાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. IMD એ જણાવ્યું હતુ કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા રહેલી છે અને તેના કારણે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું મે મહિનામાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મોચા ચક્રવાત-humdekhengenews

મૃત્યુંજય મહાપાત્રાએ આપી માહીતી

IMDના જણાવ્યા અનુસાર, 6 મેના રોજ બંગાળની ખાડી૫૨ ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ માહીતી આપતા કહ્યું,કે ‘ઘણી સિસ્ટમોએ આ ચક્રવાત વિશેની આગાહી કરી છે. તેમજ અમે તેના ૫૨ સતત નજર રાખી રહ્યા છે. અને આ અંગે નિયમિતપણે અપડ્ટ આપવામા આવશે. આગાહી પછી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને આ આફત સામે તૈયાર રહેવા જણાવ્યું હતું.

જાણો ચક્રવાતનું કેટલું જોખમ ?

આંત૨રાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે ના બીજા સપ્તાહમાં ચક્રવાતી વાવાઝોડાની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરતા કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે.તેમજ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે.

 આ પણ વાંચો : સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં લગ્ન

Back to top button