ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝાડ કાપવા એ માનવ હત્યા જેવું કૃત્ય: સુપ્રીમ કોર્ટે લગાવ્યો 4.5 કરોડનો દંડ

નવી દિલ્હી, 26 માર્ચ 2025: સુપ્રીમ કોર્ટે મંગળવારે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા વિરુદ્ધ આકરું વલણ અપનાવતા ગેરકાયદેસર રીતે ઝાડ કાપનારા લોકોને કોઈ દયા ન દાખવવી જોઈએ. ન્યાયલયે દરેક ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા ઝાડ પર 1 લાખ રુપિયાનો દંડ લગાવવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતા કહ્યું કે મોટી સંખ્યામાં ઝાડ કાપવા માનવ હત્યાથી પણ વધારે ખરાબ કામ છે. કારણ કે આ ઝાડને ફરી ઉગવામાં કમસે કમ 100 વર્ષનો સમય લાગી શકે છે.

ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો અને આ કેસના આરોપી શંકર અગ્રવાલ સામે 454 વૃક્ષો કાપવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે માત્ર કુદરતી સંસાધનોનું ઉલ્લંઘન જ નથી કરતું પરંતુ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે પણ ખતરો છે.

વરિષ્ઠ વકીલ એડીએન રાવ ‘એમિક્સ ક્યુરી’ તરીકે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવો મહત્વપૂર્ણ છે, જેથી ગુનેગારોને ખ્યાલ આવે કે કોઈપણ સંજોગોમાં કાયદા અને વૃક્ષોના રક્ષણને અવગણી શકાય નહીં. કોર્ટે રાવના સૂચન સાથે સંમતિ દર્શાવી અને વૃક્ષ કાપનારાઓ પર સ્પષ્ટ અને નક્કર દંડ લાદવાનો આદેશ આપ્યો.

૪૫૪ વૃક્ષોના ગેરકાયદેસર કાપણી બદલ દંડ

કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ના રિપોર્ટને સ્વીકાર્યો, જેમાં શંકર અગ્રવાલ પર 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ, ગયા વર્ષે 18 સપ્ટેમ્બરની રાત્રે આ 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેમાંથી 422 વૃક્ષો ખાનગી જમીન ‘ડાલમિયા ફાર્મ’ પર હતા. જ્યારે 32 વૃક્ષો રસ્તાની બાજુમાં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં હતા.

અગ્રવાલના વકીલ, વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને દંડની રકમ ઘટાડવાની અપીલ કરી અને એમ પણ કહ્યું કે તેમના ક્લાયન્ટ ભૂલ સ્વીકારે છે અને માફી પણ માંગી છે. રોહતગીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો કે શંકર અગ્રવાલને કાપેલા વૃક્ષોની જગ્યાએ વૃક્ષો વાવવાની મંજૂરી આપવામાં આવે. જોકે, કોર્ટે દંડની રકમમાં કોઈ છૂટછાટ આપી ન હતી અને તેને નજીકના વિસ્તારમાં વૃક્ષો વાવવાની મંજૂરી આપી હતી.

કોર્ટની તીવ્ર પ્રતિક્રિયા

સીઈસીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અગ્રવાલે માત્ર ખાનગી જમીન પર જ નહીં પરંતુ સંરક્ષિત વન વિસ્તારમાં પણ ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપ્યા હતા. આનાથી કોર્ટ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી અને અગ્રવાલ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્ય વન વિભાગને યુપી વૃક્ષ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૬ હેઠળ દંડ વસૂલવાનો અને ભારતીય વન અધિનિયમ, ૧૯૭૨ હેઠળ જમીન માલિક સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

SC પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ગંભીર છે

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરકાર અને સામાન્ય નાગરિકો માટે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે એક ગંભીર ચેતવણી છે. પર્યાવરણ બચાવવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે આવા કડક પગલાં લેવાની જરૂર છે જેથી આવનારી પેઢીઓ પણ લીલાછમ અને જૈવવિવિધતાથી ભરપૂર પર્યાવરણનો આનંદ માણી શકે.

આ પણ વાંચો: જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે

Back to top button