

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર નોટિસ આપવા માટે ક્રાઈમ બ્રાંચના એસીપી કેજરીવાલના ઘરે પહોંચ્યા છે.
21 MLA ને તોડવાનો આરોપ
સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના છે. આ અંગે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ વાસ્તવમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. તેમના સાત ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે યોગ્ય સમય આવશે ત્યારે તે ઓડિયો ક્લિપ રિલીઝ કરશે. સૂત્રોનું કહેવું છે કે આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે.