ગુજરાતટોપ ન્યૂઝ

Covid-19 : ગુજરાતમાં G20 બેઠકમાં આવનારા વિદેશી મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

Text To Speech

ગુજરાત સરકારે ગુજરાતમાં યોજાનારી G20 બેઠકને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. કોરોનાના કેસ દેશ સહિત રાજ્યમાં સતત વધી રહ્યા છે ત્યારે સરકારે સાવચેતીના પગલા લીધા છે. બેઠકમાં વિદેશથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં 6 દેશોમાંથી આવતા મુસાફરોએ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે, તે સિવાય જાપાન અને કોરિયાથી આવતા મુસાફરોનું પણ પરીક્ષણ કરવામાં આવશે. મુસાફરોએ એર ફેસિલિટી પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે આ બેઠકમાં આવનારા વિદેશી મહેમાનો માટે ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આ ટેસ્ટ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર કરવામાં આવશે.ગુજરાતમાં 2 થી 4 એપ્રિલ, 2023 દરમિયાન ગાંધીનગર ખાતે બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મોરેશિયસ, મેક્સિકો, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, દક્ષિણ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા સહિત સ્પેન, તુર્કી, UAE, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને અન્ય દેશો ભાગ લેશે.

Back to top button