ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાતમાં કોરોનાની સદી, આજે વધુ 119 કેસ નોંધાયા

Text To Speech

ગુજરાતમાં આજે કોરોનાના કેસની સદી નોંધાઈ છે. આજે રાજ્યમાં વધુ 119 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 63 કેસ નોંધાયા છે. એક તરફ પરીક્ષા આવી રહી છે અને માંડ લોકોના જીવનની ગાડી પાટા ઉપર ચડી છે ત્યારે ફરી કોરોનાના કારણે લોકોમાં ભય ફેલાયો છે કે શું ફરી બે વર્ષ પહેલાં જેવી સ્થિતિ ઉભવશે કે કેમ ?

ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં માં સૌથી વધુ કેસ 63, અમરેલીમાં 4, આણંદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 9, નવસારીમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 13, સાબરકાંઠામાં 2, સુરત જિલ્લામાં 13 અને વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે.

એક્ટીવ કેસનો આંક 435 થયો, 4 દર્દી વેન્ટિલેટર ઉપર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 63 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 20 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 435 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

અત્યાર સુધીમાં કુલ 12 લાખ નાગરિકોએ લીધી સારવાર

આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,801લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.11 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 435 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

Back to top button