સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેડાયો વિવાદ, ગુજરાત માં જ ગાંધી વિશે વિવાદિત કવિતાનું પઠન


અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેવકૃષ્ણ વ્યાસે પોતાની કવિતા રજૂ કરી હતી. જે કવિતામાં મહાત્મા ગાંધીજી વિશે કેટલાક વિવાદિત શબ્દ પ્રયોગ થયાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા નીદત બારોટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય સહિતની સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહા-કુંભમાં મધ્યપ્રદેશ ના દેવાસી આવેલા દેવકૃષ્ણ વ્યાસે પોતાની કવિતા ની રજૂવાત કરી હતી. જે કવિતામાં મહાત્મા ગાંધીજી વિશે કેટલાક વિવાદિત શબ્દ પ્રયોગ થયાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
આ મામલે વધુ વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નીદત બારોટે કહ્યું હતું કે, દેવ કૃષ્ણ વ્યાસે પોતાના કાવ્ય પઠનમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે. તેનાથી માત્ર ગુજરાત રાજય જ નહીં પરંતુ દેશનું પણ અપમાન કર્યું છે. ત્યારે દેવકૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગણી નીદત બારોટે કરી હતી. તો સાથે જ ગુલાબ દાસ બ્રોકર છેડના કોર્ડીનેટર મનોજ જોષી જેમણે કવિતાને ખૂબ સારી ગણાવી હતી. તેમનું પણ રાજીનામું લઈ લેવું જોઈએ તેવી માંગણી નીદત બારોટે કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જે મહાકુંભ કાવ્યનું આયોજન થયું. તેમાં મીડિયા ના માધ્યમથી જાણવા મળ્યું છે કે એક કવિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે જે કાવ્ય રચનાઓ ની રજુવાત કરી હતી. તેમાં મહાત્મા ગાંધી વિશે વિવાદિત શબ્દો બોલ્યા હતા. જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય અને ગુલાબદાસ બ્રોકર છેડના કોર્ડિનેટર ડો. મનોજ જોશી જે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત ભાષા સાહિત્યના અધ્યક્ષ છે. તેમને મળી ને ચોક્કસ તપાસ ન થાય ત્યાં સુધી હું કશું કંઇ કશું તેમ નથી. જો કોઇ દોષી સાબિત થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી તેમણે ખાતરી આપી હતી.