ફૂડહેલ્થ

શિયાળામાં આમળાના મુરબ્બાનુ કરો સેવન, રોગપ્રતિકારક શક્તિમાં થશે બમણો વધારો

આમળાનો મુરબ્બો હોય છે ગુણોથી ભરપુર. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે લોકોને શિયાળાની ઋતુમાં આમળાનો મુરબ્બો ખૂબ જ પસંદ આવે છે. ગુણોથી ભરપૂર આમળાનો મુરબ્બો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. આમળા આંખો અને પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં, શિયાળાની ઋતુમાં ઘણા ઘરોમાં આમળાનો મુરબ્બો રાખવામાં આવે છે, જે સમગ્ર શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. જો તમે પણ આમળા મુરબ્બાના ગુણોથી પરિચિત છો અને તેને બનાવવા માંગો છો, તો અમારી રેસીપી તમને મદદ કરી શકે છે. આમળાના મુરબ્બામાંથી એક અલગ જ સ્વાદ મળે છે અને દરેક ઉંમરના લોકો શિયાળામાં આમળાના મુરબ્બાને ખાઈ શકે છે. આમળાનો મુરબ્બો બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે ફાયદાકારક છે.

આવો જાણીએ આમળાના મુરબ્બાને બનાવવાની સરળ રીત

મુરબ્બા બનાવવા માટેની સામગ્રી : મોટા આમળા 15-20, એલચી પાવડર 1/4 ચમચી, ખાંડ અઢી કપ (સ્વાદ મુજબ), કેસર 1/2 ચપટી.

જો તમારે શિયાળામાં આમળાનો મુરબ્બો બનાવવો હોય તો પહેલા લીલા આમળા  પસંદ કરો અને પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો. આ પછી સુતરાઉ કપડાથી એક પછી એક બધી આમળાને સાફ કરો. હવે કાંટા કે છરીની મદદથી આમળાની આસપાસ છિદ્રો બનાવો. બધા આમળામાં છિદ્રો બનાવો અને તેને એક વાસણમાં અલગથી રાખો. હવે એક કુલાડીમાં 4-5 કપ પાણી નાખી મધ્યમ તાપ પર ગરમ કરવા રાખો. જ્યારે પાણી ગરમ થઈ જાય, ત્યારે તેમાં આમળા નાંખો અને તેને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી ઉકાળો. આ પછી, ગેસ બંધ કરો અને આમળાને પાણીથી અલગ રાખો. આ પછી બીજા વાસણમાં ત્રણ કપ પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપ પર ગરમ કરવા રાખો. જ્યારે પાણી અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય અને ચાસણી ઉકળવા લાગે ત્યારે તેમાં આમળા નાખો.

આમળા ઉમેર્યા પછી ગેસની આંચ ઓછી કરો અને આમળાને ખાંડની ચાસણીમાં 30 થી 40 મિનિટ સુધી પકાવો. જ્યાં સુધી આમળા ચાસણીમાં સંપૂર્ણપણે નરમ ન થઈ જાય અને ચાસણી આમળામાં સારી રીતે સમાઈ જાય ત્યાં સુધી તેને રાંધવાનું છે. હવે મિશ્રણને ઠંડુ થવા દો. કાચની બરણીમાં આમળાને ખાંડની ચાસણીમાં ભરીને 48 કલાક માટે છોડી દો.
આમ કરવાથી આમળા ખાંડની ચાસણીને સારી રીતે શોષી લેશે. આ પછી ચાસણીમાંથી આમળાને બહાર કાઢીને ચાસણીમાં એલચી પાવડર અને કેસર ઉમેરીને ઉકાળો. 2-3 તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકાળો. આ પછી ફરીથી આમળાને ખાંડની ચાસણીમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. આ પછી, આમળાના મુરબ્બાને ઠંડુ થવા દો. હવે આમલા મુરબ્બા તૈયાર છે. તેને કાચની બરણીમાં સ્ટોર કરો. આમળાનો મુરબ્બો લાંબા સમય સુધી બગડે નહીં.

 

Back to top button