ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિન્દુ સમાજમાં આગ લગાવેલી રાખવા માંગે છે કોંગ્રેસ: PM મોદીના આકરા પ્રહારો

  • જ્યારે મુસ્લિમોની જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસનું મોં બંધ થઈ જાય છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, 9 ઓકટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. PM મોદીએ કહ્યું છે કે, જ્યારે મુસ્લિમોની જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસનું મોં બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે તે ચર્ચા જાતિથી જ શરૂ કરે છે કારણ કે તે જાણે છે કે હિન્દુઓ જેટલા વિભાજિત થશે, તેટલો જ તેમને ફાયદો થશે.

વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજમાં આગ લગાવેલી રાખવા માંગે છે અને દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં તે આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે. મહારાષ્ટ્રમાં રૂ. 7,600 કરોડથી વધુના ખર્ચવાળી વિવિધ વિકાસ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યા બાદ તેમના સંબોધનમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યના લોકો ‘સમાજને તોડવા’ના આ પ્રયાસને નિષ્ફળ બનાવશે.

હરિયાણાએ બતાવી દીધું કે દેશનો મૂડ શું છે

આ સરકારી કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના લોકોને દેશના વિકાસને સર્વોપરી રાખવા અને ભારતીય જનતા પાર્ટી (BJP) તેમજ તેના ગઠબંધન ‘મહાયુતિ’ની તરફેણમાં એકજૂથ થઈને મત આપવા અપીલ કરી હતી. હરિયાણાના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેને બતાવી દીધું છે કે આજે દેશનો મૂડ કેવો છે. કોંગ્રેસનું સમગ્ર ઇકોસિસ્ટમ, શહેરી નક્સલીઓની આખી ટોળકી જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત હતી પરંતુ તેમના આ તમામ કાવતરાઓ નિષ્ફળ થઈ ગયા. તેમણે દલિતોમાં જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દલિત સમાજે તેના ખતરનાક ઈરાદાઓને સમજી લીધા. દલિતો સમજી ગયા કે કોંગ્રેસ તેમની અનામત છીનવીને તેમની વોટબેંકને વહેંચવા માંગે છે.

ખેડૂતો અને યુવાનોને ‘ઉશ્કેરવામાં’ કોઈ કસર બાકી નથી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હરિયાણાના દલિત વર્ગે ભાજપને રેકોર્ડ સમર્થન આપ્યું અને અન્ય પછાત વર્ગ (OBC)એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ખેડૂતો અને યુવાનોને ‘ઉશ્કેરવામાં’ કોઈ કસર છોડવામાં આવી નથી પરંતુ હરિયાણાના લોકોએ બતાવ્યું છે કે તેઓ હવે કોંગ્રેસ અને શહેરી નક્સલીઓના નફરતના ષડયંત્રનો ભોગ બનવાના નથી. કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. કોંગ્રેસની રાજનીતિનો આધાર હિન્દુ સમાજને તોડીને પોતાની જીતની ફોર્મ્યુલા બનાવવાનો છે. કોંગ્રેસ ભારતની ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાને દબાવી રહી છે, તે સનાતન પરંપરાને દબાવી રહી છે.

કોંગ્રેસ ભાગલા પાડો અને સત્તા મેળવોના ફોર્મ્યુલા પર કામ કરે છે

PM મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે જેટલા હિન્દુઓ વિભાજીત થશે તેટલો તેમને ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજમાં આગ લગાવેલી રાખવા માંગે છે, જેથી તે તેના પર રાજકીય રોટલા શેકવાનું ચાલુ રાખી શકે. ભારતમાં જ્યાં પણ ચૂંટણીઓ યોજાય છે, ત્યાં કોંગ્રેસ આ એક જ ફોર્મ્યુલા લાગુ કરે છે.” વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ, જે હંમેશા ‘ભાગલા પાડો અને સત્તા મેળવો’ના સૂત્રને અનુસરે છે, તેણે વારંવાર સાબિત કર્યું છે કે, તે ‘ગેર જવાબદાર’ પાર્ટી બની ગઈ છે. તેમણે કહ્યું કે, “તે હજુ પણ દેશના ભાગલા પાડવા માટે નવી સ્ટોરીઓ બનાવી રહી છે. આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ કહ્યું નથી કે, આપણા મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મોઢું બંધ કરીને બેસી જાય છે.

PM મોદીએ કહ્યું કે, “પરંતુ જ્યારે હિન્દુ સમાજની વાત આવે છે, કોંગ્રેસ તેની ચર્ચા માત્ર જાતિથી શરૂ કરે છે. કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે જેટલા હિન્દુઓ વિભાજીત થશે તેટલો ફાયદો થશે. ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે, ત્યાં કોંગ્રેસ આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે. કોંગ્રેસ સત્તા પર પાછી ફરવા માટે એટલી તલપાપડ છે કે તે દરરોજ નફરતની રાજનીતિ કરી રહી છે અને કોંગ્રેસની જૂની પેઢીના નેતાઓ પણ લાચાર છે અને અસહાય છે. કોંગ્રેસ નફરત ફેલાવવાની સૌથી મોટી ફેક્ટરી બનવા જઈ રહી છે, ગાંધીજી (મહાત્મા ગાંધી) આ વાત આઝાદી પછી જ સમજી ગયા હતા. તેથી જ ગાંધીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસને નાબૂદ કરી દેવી જોઈએ. કોંગ્રેસ પોતે ખતમ નથી થઈ પરંતુ આજે તે દેશને બરબાદ કરવા તત્પર છે. તેથી, આપણે સાવચેત રહેવું પડશે અને મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો આજે સમાજને તોડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવશે. મહારાષ્ટ્રના લોકોએ સંગઠિત થઈને ભાજપ અને મહાયુતિને મત આપવાનો છે, દેશના વિકાસને સર્વોપરી રાખીને 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી મહિને થવાની છે.

આ પણ જૂઓ: હરિયાણામાં જીત બાદ PM મોદીને મળ્યા CM સૈની, અડધો કલાક સુધી ચાલી વાતચીત

Back to top button