કોંગ્રેસે કન્હૈયા કુમારને વિદ્યાર્થી પાંખ NSUIનો પ્રભારી બનાવ્યો


Kanhaiya Kumar NSUI In-Charge: કોંગ્રેસે ગુરુવારે કન્હૈયા કુમારને તેની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક અખબારી યાદી જારી કરીને આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના AICC પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. કન્હૈયા કુમાર જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે અને સપ્ટેમ્બર 2021માં સીપીઆઈ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
કન્હૈયાએ 2019ની લોકસભા ચૂંટણી બેગુસરાઈથી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાની ટિકિટ પર લડી હતી. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના ગિરિરાજ સિંહે હરાવ્યા હતા.
Congress appoints Kanhaiya Kumar as the incharge of National Students Union of India (NSUI) pic.twitter.com/ARZ4ZgaOrP
— ANI (@ANI) July 6, 2023
ફેબ્રુઆરી 2016માં કન્હૈયા કુમારની દિલ્હી પોલીસે JNUમાં એક કાર્યક્રમમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. કન્હૈયા કુમારની ધરપકડ પર વિરોધ પક્ષો, વિદ્યાર્થીઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમની ધરપકડના વિરોધમાં જેએનયુના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા.
આ પણ વાંચો- Manipur Visit:”નફરત છોડો, મણિપુર જોડો”, રાહુલ ગાંધીએ રાજ્યની મુલાકાતનો વીડિયો કર્યો પોસ્ટ