ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ સામે ખાતર કૌભાંડને લઈ ફરિયાદ

Text To Speech
  • આરોપીઓ રૂ.8માં યુરિયા ખાતર મેળવીને રૂ.58માં બજારમાં વેચતા
  • સબસિડીયુક્ત યુરિયા ખુલ્લા બજારમાં વેચવા મુદ્દે 7 કંપની સામે ગુનો
  • થોડા દિવસ અગાઉ નારોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા

અમદાવાદના નારોલ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કંપનીમાં દરોડા પાડીને સરકારી યુરિયા ખાતરને કોર્મશીયલ યુરિયા ખાતરની બેગમાં ભરીને વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. જેમાં કંપની દ્વારા સરકારી સબસિડી લઇને યુરિયા ખાતર મેળવવામાં આવતુ હતુ અને તે ખાતરનો કોર્મશિયલ યુરિયા ખાતરની થેલીમાં ભરીને વેચવામાં આવતુ હતુ. જ્યારે પોલીસે દરોડો પાડીને અંદાજીત રૂ. 26 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: રૂ.40.76 કરોડના બોગસ ઈન્વોઈસ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ભરાયો 

સબસિડીયુક્ત યુરિયા ખુલ્લા બજારમાં વેચવા મુદ્દે 7 કંપની સામે ગુનો

તપાસ બાદ પોલીસ દ્વારા કુલ સાત લોકો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ચિરીપાલ ગ્રુપની અરવિંદ મિલ સાંતેજ, મફ્તલાલ કંપની નડીયાદ, ગોપી કંપની નારોલ સામે પણ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે. નારોલ વિસ્તારમાં આવેલા અર્બુદા એસ્ટેટમાં આસ્મી સ્પેશિયાલિટીઝ પ્રા. લિમિટેડ કપનીમાંથી ગેરકાયદેસર યુરીયા ખાતરના જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ કંપનીના માલિકો દ્વારા સરકારી સબસિડી મારફ્તે મેળવેલા યૂરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો.

આ પણ વાંચો: USAના 3 રાજ્યોમા માં ઉમિયાનું મંદિર નિર્માણ પામશે

આરોપીઓ રૂ.8માં યુરિયા ખાતર મેળવીને રૂ.58માં બજારમાં વેચતા

સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા દરમ્યાન 04 મજુરો અને 01 ડ્રાઈવર તથા 02 મેનેજરની ધરપકડ કરી હતી અને જપ્ત કરવામાં આવેલા યુરિયા ખાતરનો જથ્થો એફ્.એસ.એલમાં તપાસ માટે મોકલાયો હતો અને એફ્એસએલ ના રીપોર્ટ બાદ નારોલ પોલીસે સાત લોકો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે આરોપીઓ રૂ.8માં યુરિયા ખાતર મેળવીને રૂ.58માં બજારમાં વેચતા હતા. તે સમયે પોલીસે 11250 કિલોગ્રામ યુરિયા ખાતર જેની કિંમત રૂ 6.37 લાખ સહિત રૂ. 26.81 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ત્યારે પોલીસે અગાઉ કુલ સાત લોકોની ધરપકડ કરી હતી.

Back to top button