અમદાવાદગુજરાત

મુખ્યમંત્રી નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સરદાર પટેલના જન્મ સ્થળની મુલાકાત લેશે

Text To Speech

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.મુખ્યમંત્રી બુધવારે 14 ઓગસ્ટે 78મા સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે.

નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે
મુખ્યમંત્રી ત્યારબાદ સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેવાના છે.78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડીયાદમાં આયોજીત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતીમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્ર પટેલ જોડાશે. ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે

રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે
ત્યારબાદ મોડી સાંજે 118 કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી 15 ઓગસ્ટ ગુરૂવારે, સવારે 8.58 કલાકે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરીકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.

આ પણ વાંચોઃગુજરાત સરકાર એક્શનમાંઃ લાંબા સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેલા 134 શિક્ષકો સસ્પેન્ડ

Back to top button